બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કોઠારીયા મેઇન રોડ પર પાણીના પરબવાળી શેરીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતી નીરૂબેન અનિલભાઈ સોરાણી નામની પરિણીતાએ ગત તા. 20/5 ના ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પરિણીતા પિતા લક્ષ્મણભાઈ મેરામભાઇ સદાદિયા (ઉ.વ 50 રહે. સાતડા તા. રાજકોટ) દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં દીકરીના પતિ અનિલ હિંમતભાઈ સોરાણી, સસરા હિંમત સોરાણી, સાસુ કૈલાશબેન (રહે. ત્રણેય ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર કોઠારીયા રોડ,રાજકોટ) ના નામ આપ્યા છે.
લક્ષ્મણભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં ત્રણ દીકરી અને બે દીકરા છે. જેમાં નીરૂ વચેટ હતી. ગત તા. 20/5 ના તેણે સાસરીયે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરિણીતાને સંતાનમાં ચાર વર્ષનો પુત્ર રૂદ્દ્ર અને બે વર્ષનો પુત્ર આરવ છે. ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, આ બનાવનું કારણ મારી દીકરી નીરૂબેનના સાસરિયાઓ છેલ્લા બે વર્ષથી નાની નાની બાબતોમાં બોલાચાલી ઝઘડા કરી હેરાન પરેશાન કરતા હોય મારી દીકરી અવારનવાર આ બાબતે અમારી સાથે વાત કરતી અને અમે તેને સમજાવતા હતા. દશેક મહિના પહેલા મારી દીકરી રિસામણે આવી હતી ચાર છ મહિના અમારા ઘરે રોકાય હતી. બાદમાં અમે તેને તથા તેના પતિ અને સાસુ સસરા સાથે વાતચીત તથા સમજૂતી કરી સાસરે મોકલી હતી. તેમછતાં મારા જમાઈ અનિલ દીકરીના સસરા હિંમત, સાસુ કૈલાશબેન સહિતનાઓ અવારનવાર મારી દીકરી નીરૂ સાથે બોલાચાલી કરી ઝઘડો કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા હોય તથા ખોટી રીતે હેરાન પરેશાન કરતા હોય જેનાથી કંટાળી જઇ તેણે આ પગલું ભરી લીધું હતું. આ અંગે આજીડેમ પોલીસે પરિણીતાના પિતાની ફરિયાદ પરથી તેણીના પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ આપઘાતની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ આર.એમ.સાંખરા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેવડાવાડીમાં ધોળા દિવસે સોની વેપારીના ઘરમાં ચોરી કરનાર મુંબઇનો શખસ ઝડપાયો
June 16, 2025 03:16 PMમારી ગાડીના કાચ તમારા સમાજના લોકોએ જ તોડ્યા, કહી યુવાનને હડધૂત કરી ધમકી
June 16, 2025 03:13 PMગણેશનગરમાં એન્ટિક ચીજ વસ્તુના વેપારીને છરીના ઘા મારવાની ધમકી
June 16, 2025 03:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech