ગ્રીનલેન્ડ ચોકડીએ વિજયભાઈના અંતિમ દર્શન કરવા અને શ્રદ્ધાંજલિ આપવા હજારો લોકો આવ્યા, બ્રિજ અને ડિવાઈડર પર લાઈનો લાગી, જુઓ તસવીરો

  • June 16, 2025 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પાર્થિવદેહ આજે બપોરે રાજકોટ એરપોર્ટ પહોંચ્યો છે. ગ્રીનલેન્ડ ચોકડીથી તેમના પ્રકાશ સોસાયટી સ્થિત નિવાસ સ્થાન સુધી શ્રદ્ધાંજલિ યાત્રા નીકળનાર હોય હજારો લોકો ગ્રીનલેન્ડ ચોકડીએ ઉમટી પડ્યા છે.


આજે બપોરે ૨:૩૦ કલાકે ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને રથમાં લઇને નિર્મલા કોન્વન્ટ રોડ ઉપરની પ્રકાશ સોસાયટી સ્થિત નિવાસસ્થાને જવામાં આવશે. રાજમાર્ગો ઉપરના દરેક ચોકમાં લોકો ઉમટી પડ્યા છે અને રાજકોટના લોકલાડીલા નેતાને ભાવભર શ્રદ્ધાંજલિ પાઠવશે. ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી સૌ પ્રથમ રણછોડદાસ બાપુ આશ્રમ અને ત્યાંથી સામેનો રોડ થઈને બાલક હનુમાન ચોક થી કે.ડી. ચોક ત્યાંથી સંત કબીર રોડથી સરદાર સ્કૂલ પાસે થઈને પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટથી ભાવનગર રોડ ઝોન ઓફિસ થઈને પારેવડી ચોક અને ત્યાંથી કેસરી હિન્દ ફૂલ થઈ સિવિલ હોસ્પિટલ ચોક અને ત્યાંથી ચૌધરી સ્કૂલ ચોકથી બહુમાળી ભવન ચોક ત્યાંથી જિલ્લા પંચાયત ચોક અને કિસાનપરા ચોક થઈને રૈયા રોડ ઉપર યાત્રા આગળ ધપશે.    





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application