સ્વ. વિજયભાઈ રૂપાણીનો પાર્થિવદેહ તેમના ઘરે પહોંચ્યો, હજારો લોકો ઉમટ્યા, થોડીવારમાં અંતિમદર્શન શરૂ થશે, જુઓ તસવીરો

  • June 16, 2025 05:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્વ.વિજયભાઈન રૂપાણીના ઘરે હજારો લોકો અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા છે. ત્યારે મહિલાઓએ રામધૂન અને  શ્રીકૃષ્ણ શરણમ મમઃ મંત્રજાપ શરૂ કર્યો છે. અહીં લોકો વિજયભાઈના પાર્થિવદેહના દર્શન કરવા માટે રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ મહિલાઓની આંખોમાંથી આંસુ સૂકાઈ રહ્યા નથી. રાજકોટના પનોતા પુત્રને ગુમાવવાનું દુખ પણ છે. હાલ વિજયભાઈનો પાર્થિવદેહ તેમના પ્રકાશ સોસાયટી સ્થિત ઘરે પહોંચ્યો છે. થોડીવારમાં પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સ્વ.વિજયભાઈ રૂપાણીના અંતિમ દર્શન અને અંતિમયાત્રામાં તેમના પરિવારને સાંત્વના પાઠવવા રાજકોટ પહોંચ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News