બાંગ્લાદેશના સતખીરાના શ્યામનગર સ્થિત જેશોરેશ્વરી મંદિરમાંથી મા કાલીનો મુગટ ચોરાઈ ગયો છે.એક અહેવાલ મુજબ, માર્ચ, 2021માં મંદિરની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુગટ ભેટમાં આપ્યો હતો. ચોરીની આ ઘટના ગુરુવારે બપોરે 2 થી 2.30 વાગ્યાની વચ્ચે બની હતી, જ્યારે મંદિરના પૂજારી દિલીપ મુખજીર્ દિવસની પૂજા પછી બહાર ગયા હતા. અહેવાલો અનુસાર, સફાઈ કર્મચારીઓને પાછળથી જાણવા મળ્યું કે દેવતાના માથા પરથી મુગટ ગાયબ હતો.
આ અંગે શ્યામનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર તૈજુલ ઈસ્લામે જણાવ્યું કે, અમે ચોરને ઓળખવા માટે મંદિરના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છીએ. ચોરાયેલો મુગટ ચાંદી અને સોનાના પ્લેટિંગથી બનેલો છે, જે નોંધપાત્ર સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, જેશોરેશ્વરી મંદિર ભારત અને પડોશી દેશોમાં ફેલાયેલી 51 શક્તિપીઠોમાંથી એક છે. જશોરેશ્વરી નામનો અર્થ થાય છે જેશોરની દેવી.
પીએમ મોદીએ તેમની બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન 27 માર્ચ, 2021ના રોજ જેશોરેશ્વરી મંદિરની મુલાકાત લીધી હતી. ત્યારે આ મુગટ ભેટ આપ્યો હતો.
પીએમ મોદીએ મંદિરની તેમની મુલાકાતનો એક વીડિયો પણ શેર કર્યો હતો, જે કોવિડ-19 રોગચાળા પછી કોઈપણ દેશની તેમની પ્રથમ મુલાકાત હતી. જેશોરેશ્વરી કાલી મંદિર એક પ્રખ્યાત હિન્દુ મંદિર છે, જે દેવી કાલીને સમર્પિત છે, આ મંદિર ઈશ્વરીપુરમાં આવેલું છે. આ સતખીરા ઉપજિલ્લાના શ્યામ નગરનું ગામ છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર 12મી સદીના ઉત્તરાર્ધમાં અનારી નામના બ્રાહ્મણ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેમણે જેશોરેશ્વરી પીઠ (મંદિર) માટે 100 દરવાજાનું મંદિર બનાવ્યું હતું અને પાછળથી 13મી સદીમાં લક્ષ્મણ સેન દ્વારા તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. આખરે રાજા પ્રતાપદિત્યએ 16મી સદીમાં મંદિરનું પુન:નિમર્ણિ કરાવ્યું.
ઇશ્ર્વરીપુર મંદિર 51 પીઠોમાંથી એક છે
હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, 51 પીઠોમાં, ઇશ્વરીપુરનું મંદિર તે સ્થાન છે જ્યાં દેવી સતીના પગની હથેળીઓ અને તળિયા પડ્યા હતા. દેવી ત્યાં દેવી જશોરેશ્વરીના રૂપમાં નિવાસ કરે છે અને ભગવાન શિવ ચંદાના રૂપમાં દેખાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મોમાઈનગરમાં મકાનોને નોટિસ પાઠવવામાં આવતા મનપામાં રજુઆત
May 03, 2025 06:40 PMલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMજામનગર : પોલીસ હેડક્વાર્ટરમા જુના વાહનોની જાહેર હરાજી
May 03, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech