ક્રિપ્ટોકરન્સીનું નિયમન કરવું મુશ્કેલ: ભારત સહિત વિકાસશીલ અર્થતંત્રો માટે ખતરો: આરબીઆઈ
ભારતમાં ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ વચ્ર્યુઅલ ડિજિટલ એસેટ તરીકે થાય છે. આ મુદ્દા પર વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. સરકાર તેના પર પ્રતિબધં મૂકવા માંગે છે, યારે ઘણા લોકો તેને કાયદેસર બનાવવાની માંગ કરે છે. હવે, આરબીઆઈ એ પ્રતિક્રિયા આપી છે, અને કહ્યું છે કે તે ભારતમાં ક્રિપ્ટોકરન્સીને કાયદેસર બનાવશે નહીં.
તાજેતરમાં, ભારતીય રિઝર્વ બેંકએ સાંસદ ભર્તૃહરિ મહતાબની આગેવાની હેઠળની સંસદીય સમિતિને જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી જેવી વચ્ર્યુઅલ ડિજિટલ એસેટ ભારત જેવી ઉભરતી અર્થવ્યવસ્થા માટે ખતરો છે અને આવી એસેટસને દેશમાં કાયદેસર બનાવવી જોઈએ નહીં. વધુમાં, તેમણે નોંધ્યું હતું કે ચીન અને કતાર એવા દેશોમાં સામેલ છે જેમણે આવી નાણાકીય પ્રવૃત્તિઓ પર પ્રતિબધં મૂકયો છે, યારે યુરોપે ખૂબ જ કડક અને નિયંત્રિત રીતે વચ્ર્યુઅલ ડિજિટલ એસેટસને મંજૂરી આપી છે.આરબીઆઈએ આ બેઠક દરમિયાન એક ટૂંકો અહેવાલ પણ રજૂ કર્યેા હતો, જેમાં જણાવાયું હતું કે ડિજિટલ નાણાંનો ઉપયોગ આતંકવાદી ભંડોળ અથવા માદક દ્રવ્યોની દાણચોરી જેવી કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે થઈ શકે છે. તેને કાયદેસર બનાવવાથી વિદેશી દેશોમાં તેના ઉપયોગ પર નજર રાખવી મુશ્કેલ બનશે. પરિણામે, આરબીઆઈ એ તેને કાયદેસર બનાવવા સામે આગ્રહ રાખ્યો છે.આ બેઠક દરમિયાન, આરબીઆઈ એ જણાવ્યું હતું કે ક્રિપ્ટોનો ઉપયોગ ભારતના અર્થતંત્રને અસ્થિર કરી શકે છે, અને તેથી, શકય તેટલી વહેલી તકે તેના ઉપયોગ પર પ્રતિબધં મૂકવો જોઈએ. આરબીઆઈ એ જણાવ્યું હતું કે, ક્રિપ્ટો પર પ્રતિબધં મૂકવાથી ચુકવણી અને સમાધાનમાં તેનો ઉપયોગ અટકાવીને, બેંકિંગ ક્ષેત્ર માટે જોખમો મર્યાદિત કરીને અને સિસ્ટમ સાથે તેના જોડાણો ઘટાડીને નાણાકીય વ્યવસ્થાને સુરક્ષિત કરવામાં મદદ મળશે.