દિલ્હી: વિદેશ સચિવ વિક્રમ મિસરીનું નિવેદન, પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન, ભારતની જવાબી કાર્યવાહી

  • May 10, 2025 11:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિદેશ મંત્રાલય દ્વારા આજે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું છે કે, "સશસ્ત્ર દળો પરિસ્થિતિ પર સખત નજર રાખી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય સરહદ તેમજ નિયંત્રણ રેખા (LOC) પર સરહદના ઉલ્લંઘનની પુનરાવૃત્તિના કોઈપણ કિસ્સા સાથે સખત રીતે વ્યવહાર કરવા માટે સૂચના આપવામાં આવી છે."


વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું છે કે, "ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે આજે સાંજે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી સૈન્ય કાર્યવાહીને રોકવા માટે સમજૂતી થઈ હતી. છેલ્લા કેટલાક કલાકોથી, આ સમજૂતીનું પાકિસ્તાન દ્વારા ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ભારતીય સેના જવાબી કાર્યવાહી કરી રહી છે. અમારું માનવું છે કે પાકિસ્તાને આ પરિસ્થિતિને યોગ્ય રીતે સમજવી જોઈએ."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application