ગુજરાતમાં આવકવેરા વિભાગની ઇન્વેસ્ટીગેશન વિંગના નવા ડાયરેકટર જનરલ તરીકે દિલ્હીના સુનિલકુમાર સિંઘને ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેઓની દિલ્હીથી ગુજરાતમાં બદલી કરવામાં આવી છે. પૂર્વ ડાયરેકટર જનરલ પિયુષ જૈનની બદલી થતાં ગુજરાતમાં તેમની ખાલી પડેલી જગ્યા પર સુનિલકુમાર સિંઘને નવા ડીજી તરીકેની નિમણૂક આપવામાં આવી છે. જેથી ટૂંક સમયમાં જ આવકવેરા વિભાગમાં દરોડાનો દોર ફરીથી શ થશે.
પિયુષ જૈન આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગના ડાયરેકટર જનરલ તરીકે ગુજરાતમાં કાર્યરત હતા. તેઓની સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ–સીબીડીટીમાં નવી દિલ્હી ખાતે તાજેતરમાં બદલી કરવામાં આવી હતી. તેમની તાત્કાલિક બદલી થતાં તેમની જગ્યા પર નવી નિમણૂક થતા સમય લાગે તેમ હોવાથી જેથી આવકવેરા વિભાગ દ્રારા પુનાના સીબીડીટી ઇન્વેસ્ટિગેશન વિંગના સંદિપ પ્રધાનને માર્ચ મહિનામાં ગુજરાતનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જેઓ ભૂતકાળમાં ગુજરાત સ્પોટર્સ ઓથોરિટીમાં ફરજ બજાવી ચૂકયા હતા. હાલમાં પિયુષ જૈનની ખાલી પડેલી જગ્યા પર સુનિલકુમાર સિંઘની નિમણૂક કરવામાં આવી છે.
સુનિલકુમાર સિંઘ ૧૯૯૦ની બેચના ઇન્ડિયન રેવન્યુ સર્વિસ–આઇઆરએસના અધિકારી છે. તેઓ પંજાબના જલંધરમાં પ્રિન્સિપાલ ઇન્કમટેકસ અધિકારી તરીકે તેમજ ૨૦૨૧થી આવકવેરા વિભાગ દિલ્હીમાં પણ પ્રિન્સિપાલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકયા છે. હવે તેમની ગુજરાતમાં ડીજી તરીકે નિમણૂક થતા આવકવેરાની ગેરરિતી પર રોક લાગે તેવી આશા સેવવામાં આવી રહી છે.
હાલમાં માર્ચ એન્ડિંગ બાદ એપ્રિલમાં આવકવેરા રિટર્ન માટે નવી વિન્ડો ખુલતા સાથે જ તમામ કર દાતાઓ રિટર્ન ફાઇલ કરવા માટે તૈયારી કરી રહ્યા છે. તેની વચ્ચે આવકવેરા વિભાગમાં નવા ડીજી સુનિલકુમાર સિંઘ ચાર્જ સંભાળવા જઈ રહ્યા છે. દિલ્હીમાં તેઓ એક કડક અધિકારી તરીકેની છાપ ધરાવે છે. ત્યારે તેમના ચાર્જ સંભાળતા ની સાથે જ ટૂંક સમયમાં દરોડાનો દોર શ થઈ શકે છે જેથી ફરીથી કરચોરી સામે આવકવેરા વિભાગની કાર્યવાહીનો ધમધમાટ જોવા મળશે. તેમજ તેમની ગુજરાતમાં નિમણૂક થતા કરચોરી પર બ્રેક લાગે તેવી સંભાવના જોવામાં આવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech