ગીર સોમનાથ આમ આદમી પાર્ટી ગુજરાત દ્રારા મુખ્યમંત્રીને લેખીત રજૂઆત કરી શિક્ષક દિન નિમિત્તે ખાનગી અને સરકારી શાળાનાં શિક્ષકોનાં પડતર પ્રશ્નો, વધારાની કામગીરીમાંથી મૂકતી અપાવવા તેમજ તમામ સમસ્યાનું સમાધાન કરી સાચા અર્થમાં શિક્ષકનું સન્માન કરી ઉજવણી કરવા માંગ કરી છે.
આપ પાર્ટી ગીર સોમનાથ ના મહામંત્રી મહેશભાઈ બારડે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, ભારતનું ભવિષ્ય ભારતનાં વર્ગખંડોમાં ઘડાય છે યારે શિક્ષકએ ભાવિનો ઘડવૈયો ગણાય છે. તેમજ ગૂજનો અને શિક્ષકોનું સન્માન જાળવવું એ પરમ કર્તવ્ય છે. ત્યારે આજે ખાનગી અને સરકારી શાળાઓનાં શિક્ષકોની હાલત
ખુબજ દયનિય છે. તો બીજી તરફ શિક્ષકોનાં અનેક પ્રશ્નોનું નિરાકરણ કે સમાધાન આજદીન સુધી થતું નથી. જેમાં મુખ્યત્વે ખાનગી શાળાનાં શિક્ષકોને લાયકાત મુજબનું વેતન મળતું નથી, કામનાં કલાકો ઓછા કરવામાં આવે રજાનો યોગ્ય લાભ આપવામાં આવે. તેમજ સરકારી શાળાનાં શિક્ષકોને શાળા સિવાયનાં તમામ કામોમાંથી મુકિત આપવામાં આવે.
સરકારી શાળામાં ખાલી પડેલી જગ્યાઓ ભરીઅને ટેટ– ટાટ પાસ બેરોજગાર યુવાઓને રોજગારી આપવામાં આવે. રાયની તમામ શાળાઓમાં અન્ય ઓિસની કામગીરી માટે બિન–શૈક્ષણિક સ્ટાફ પૂરો પાડી શિક્ષકોને આવા કામોમાંથી મૂકિત આપવવા સહિતની માંગો સાથે લેખીત રજુઆત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech