ગણેશ ચતુર્થીએ મંદિરોમાં ભાવિકોએ કરી આરાધના

  • May 02, 2025 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે ગુરૂવારે વૈશાખ સુદ ચોથના રોજ ગણેશ ચતુર્થી હતી.ભાવનગર સહિત ગુજરાતભરમાં આજે ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે.ભાવનગરના ભીડભંજન મહાદેવના મંદિરના ગણેશજીના મંદિરમાં ભાવિકો ઉમટ્યા હતા અનેઆરાધના કરી હતી. જ્યારે કાળિયાબીડના અષ્ટ વિનાયક સિધ્ધિ વિનાયક મંદિરે સવારે મંગળા આરતી દર્શન અને રાજભોગ દર્શન, સાંજે ૪થી ૬ બહેનોનો સત્સંગ, ૭.૧૫ કલાકે ૧૦૮ દિપમાળા સાથે ઉત્સવ આરતી કરવામાં આવી હતી.મંદિર રાત્રે મોડે સુધી ખુલ્લુ રહયું હતું.આ મંદિરે પણ ભાવિકો દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.લોકોએ પોતાના ઘેર પણ ગણેશજીની પૂજા કરી લાડુનો ભોગ ધરાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application