અમદાવાદની વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ અર્થે પોરબંદરના આર્ય સમાજ ખાતે શાંતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
એર ઈન્ડિયા પ્લેન દુર્ઘટનાના મૃતકો માટે પોરબંદર ખાતે શાંતિ યજ્ઞ અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન પાયોનિયર ક્લબ , સાગરપુત્ર સમન્વય-પોરબંદર,રેડક્રોસ સોસાયટી (તાલુકા શાખા - પોરબંદર), પાયોનિયર ક્લબ ઓફ પોરબંદર લેડીઝ વીંગ દ્વારા એક ભાવપૂર્વક અને હૃદયસ્પર્શી શાંતિ યજ્ઞ અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયા ફ્લાઈટ નં. એ.આઇ.-૧૭૧ માં અમદાવાદ મેઘાણીનગર વિસ્તારમાં થયેલી ભયાનક દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામ મુસાફરો, તેમજ મૃત્યુ પામેલા પશુ-પક્ષીઓ અને નાનાં જીવજંતુઓના આત્માની શાંતિ માટે રાખવામાં આવ્યો હતો. વિશેષ યજ્ઞવિધિમાં શાંતિ યજ્ઞ આર્ય સમાજ ખાતે યોજાયો હતો. જે ધનજીભાઈ આર્ય અને તેમની ટીમ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત સંપન્ન કરાવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની પોરબંદર તાલુકાશાખાના ના સ્થાપક પ્રમુખ રામદેભાઈ મોઢવાડીયા, સાગરપુત્ર સમન્વયના મહિલા પ્રમુખ લીલાબેન મોતીવરસ,પાયોનિયર લેડીઝ વિંગની ચેરપર્સન ઉમાબેન ખોરાવા, શહેરના પીઢ તબીબ ડો. સુરેશભાઈ ગાંધી, ખારવા સમાજના આગેવાનો હરજીવનભાઈ કોટીયા, પ્રેમજીભાઈ ખુદાઈ, મહેન્દ્રભાઈ જુંગી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અશોકભાઈ ભાદ્રેચા, માહી ગ્રુપના પ્રમુખ કમલભાઈ ગોસલિયા, લાયન્સ ક્લબ વતી સંજયભાઈ માળી, સમસ્ત બ્રહ્મસમાજ તરફથી અશ્ર્વિનભાઈ ઠાકર તથા નરેશભાઈ થાનકી, ગુજરાત યોગ બોર્ડના કોઓર્ડીનેટર કેતનભાઈ કોટીયા,એક્સ્ટ્રીમ માર્શલ આર્ટના મહેશભાઈ મોતીવરસ, પાયોનિયર ક્લબના સભ્યો જયેન્દ્રભાઈ ખુંટી, કેતનભાઈ પટેલ, જયેશ ભોગાયતા, જયેશભાઈ માંડવીયા, પ્રદીપભાઈ ગજ્જર, ઘનશ્યામભાઈ મહેતા, સંજયભાઈ લોઢારી, અશોકભાઈ મોતીવરસ તથા બહોળી સંખ્યામાં મહિલાઓએ પણ હાજરી આપી હતી જેમાં ક્રિષ્નાબેન ઠાકર, દિપ્તીબેન રાયમગીયા, ઉર્મિલાબેન સાકરીયા, નીલાબેન થાનકી, સ્મિતાબેન બરીદુન, મનીષાબેન મોનાણી, જુલીબેન દાવડા, દિપાબેન ચાવડા, દિપાબેન ભોગાયતા, મીનાક્ષીબેન ગજ્જર, દિપાબેન પલાણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
શ્રદ્ધાંજલિ સંબોધનમાં શ્રદ્ધાંજલિ સભામાં ડો. સુરેશભાઈ ગાંધી, શ્રી રામદેભાઈ મોઢવાડીયા તથા ધનજીભાઈ આર્યએ સંવેદનાશીલ અને હૃદયસ્પર્શી શબ્દોમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આત્માઓ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના પરિવારોને શક્તિ અને સહાનુભૂતિ મળે તેવી ભાવભીની પ્રાર્થના કરી હતી. આ હેતુકારક યજ્ઞ દ્વારા પોરબંદર શહેરના નાગરિકોએ માનવતા, સહાનુભૂતિ અને વૈદિક પરંપરાના માધ્યમથી દુ:ખના ઘડીમાં સામાજિક એકતા દર્શાવી.આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ભક્તિભર્યું અને શાંતિમય બની રહ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસીઝફાયર નહિ, કાંઇક મોટું થવાનું છે: ટ્રમ્પના નિવેદને દુનિયાનું ટેન્શન વધાર્યું
June 17, 2025 04:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech