દરેક વ્યક્તિ પોતાની ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવા માટે વિવિધ ઉપાયો અને ત્વચા સંભાળ ઉત્પાદનો અપનાવે છે. જેમ કે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓમાંથી ફેસ માસ્ક અને સ્ક્રબ બનાવવા. જેમાં ઘણા લોકો ચહેરા પર લીંબુ અને ટામેટાંનો પણ ઉપયોગ કરે છે. કહેવાય છે કે ટામેટા અને લીંબુની પેસ્ટ બનાવીને ત્વચા પર લગાવવાથી ત્વચામાં નીખાર આવે છે. આ ઉપરાંત, તે ડાઘ ઘટાડવા અને ટેનિંગ દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આ સિવાય તે ત્વચાને કડક બનાવવામાં મદદ કરે છે.
કેટલાક લોકો એલોવેરા સાથે મધ મિક્સ કરે છે તો કેટલાક ચહેરા પર લીંબુ લગાવે છે. આમ તો ઘણા લોકો ટામેટાને કોઈ વસ્તુમાં ભેળવીને ચહેરા પર લગાવે છે, પરંતુ ઘણા કિસ્સામાં તેનાથી ચહેરાને નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ કે ચહેરા પર લીંબુ અથવા ટામેટાંનો ઉપયોગ કરવાથી શું નુકસાન થઈ શકે છે.
હેલ્થલાઈન અનુસાર, ચહેરા પર લીંબુના રસનો ઉપયોગ ત્વચા માટે ફાયદાકારક કરતાં વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. લીંબુ પ્રકૃતિમાં એસિડિક હોય છે જેના કારણે ત્વચા પર શુષ્કતા, લાલાશ અને ચામડીની સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને જો ત્વચા સંવેદનશીલ હોય અથવા તેને લગાવ્યા પછી તડકામાં જાવ તો તેનાથી ત્વચાને વધુ નુકસાન થઈ શકે છે. આ સિવાય ત્વચા પર લીંબુના રસનો ઉપયોગ કરવાથી આંખો અને હોઠમાં બળતરા થઈ શકે છે.
હેલ્થલાઈન ટામેટા અને તેનો રસ ઘણા લોકોની ત્વચા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. લીંબુની જેમ ટામેટા પણ પ્રકૃતિમાં એસિડિક હોય છે. આ કારણે તેને ત્વચા પર લગાવવાથી ફોલ્લીઓ, ખંજવાળ, લાલાશ અને બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
પિમ્પલ પ્રોન ત્વચા એટલે કે ખીલ થવાની સંભાવનાવાળી ત્વચા હોય તો તે ત્વચાને વધુ નુકસાન પહોંચાડી શકે છે. ત્યારે નિષ્ણાતની સલાહ લીધા વિના કોઈપણ કુદરતી ઘટકોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આ સિવાય જો લીંબુ અને ટામેટા અથવા કોઈપણ કુદરતી વસ્તુ યોગ્ય ન હોય તો તેની ત્વચા પર આડ અસર થઈ શકે છે. તેથી ત્વચા પર કોઈપણ કુદરતી ઘટકોનો ઉપયોગ કરતા પહેલા પેચ પરીક્ષણ કરવું જોઈએ, જેમ કે તમારા હાથ પર પેસ્ટ લગાવીને.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech