ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહત્પના ખાનગી નિવાસસ્થાને ડ્રોન હત્પમલો કરવામાં આવ્યો છે. મીડિયા રિપોટર્સને ટાંકીને આ સમાચાર સામે આવ્યા છે. આ ડ્રોન હત્પમલો લેબનોનથી કરવામાં આવ્યો હતો, ત્યારબાદ હિઝબુલ્લાહે આ હત્પમલો કર્યેા હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. આ હત્પમલામાં કોઈ નુકસાનના સમાચાર નથી. હિઝબુલ્લાહ લેબનોનથી ઇઝરાયેલ પર સતત રોકેટ અને ડ્રોન ફાયર કરી રહ્યું છે.સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ડ્રોન હત્પમલો ઇઝરાયેલના કૈસેરી વિસ્તારમાં સ્થિત પીએમ બેન્જામિન નેતન્યાહત્પના અંગત નિવાસસ્થાન પર થયો હતો. હત્પમલા સમયે બેન્જામિન નેતન્યાહત્પ ઘરે હાજર ન હતા. હત્પમલામાં કોઈ નુકસાનના સમાચાર નથી. સાઉદી અરેબિયાની મીડિયા ચેનલને ટાંકીને સોશિયલ મીડિયા પર આ દાવો કરવામાં આવ્યો છે. હવે ઇઝરાયેલના મીડિયા અનુસાર, ઇઝરાયેલના પીએમઓએ પણ નેતન્યાહત્પના ખાનગી નિવાસસ્થાન પર હત્પમલાની પુષ્ટ્રિ કરી છે. તેમણે કહ્યું કે હત્પમલા સમયે પીએમ નેતન્યાહ કે તેમની પત્ની હાજર ન હતા, તેથી આ હત્પમલામાં કોઈ નુકસાનના સમાચાર નથી.ઇઝરાયેલની સેનાએ કહ્યું કે લેબનોનથી ત્રણ ડ્રોન છોડવામાં આવ્યા હતા, જેમાંથી બે એર ડિફેન્સ સિસ્ટમ દ્રારા હવામાં જ નાશ પામ્યા હતા. એક ડ્રોન રહેણાંક મકાન સાથે અથડાયું. આ ઈમારત બેન્જામિન નેતન્યાહત્પનું ખાનગી રહેઠાણ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ પહેલા ઈઝરાયેલી સેનાએ કહ્યું હતું કે લેબનોન તરફથી ઈઝરાયેલના શહેર હાઈફા પર રોકેટ છોડવામાં આવ્યું હતું. આ હત્પમલાને કારણે હૈફામાં ચેતવણીના સાયરન વાગવા લાગ્યા. જો કે, આ રોકેટ ખુલ્લા વિસ્તારમાં પડું હતું.ઈઝરાયેલની સેનાએ હાલમાં જ ગાઝામાં હમાસના વડા યાહ્યા સિનવારને મારી નાખ્યો છે. જોકે, બેન્જામિન નેતન્યાહએ સિનવારના મૃત્યુ બાદ કહ્યું હતું કે યુદ્ધ હજુ ચાલુ છે. આ પહેલા હમાસના લગભગ તમામ ટોચના કમાન્ડરો અને હિઝબુલ્લાહના ટોચના નેતૃત્વને પણ ઈઝરાયેલી સેના દ્રારા ખતમ કરી દેવામાં આવી છે. હિઝબુલ્લાહ અને હમાસે પણ કહ્યું છે કે ઈઝરાયેલ સાથે યુદ્ધ ચાલુ રહેશે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે હિઝબુલ્લાહ દ્રારા જવાબી કાર્યવાહી તરીકે આ હત્પમલા કરવામાં આવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech