જૂનાગઢમાં મધુરમમાં રહેતા ભાણજીભાઈ ઓધવજીભાઈ પીઠડીયા (ઉ. વ.૬૭) ગઈકાલે સ્કૂટર લઈ ઝાંઝરડા ચોકડી થી મધુરમ તરફ જઈ રહ્યા હતા. ચોકડી પાસે ટેન્કર ચાલકે સ્કૂટરને ઠોકરે ચડાવતા ભાણજીભાઈ પડી ગયા હતા અને બાદમાં ટેન્કરનો જોટો તેના પર ફરી વળ્યો હતો. અને સ્થળ પર જ તેનું મોત થયું હતું. તાલુકા પોલીસે ટેન્કર ચાલક વિદ્ધ ગુનો નોંધી ઝડપી લીધો હતો. ઝાંઝરડા ચોકડી થી મધુરમ તરફના રસ્તા પર અવારનવાર અકસ્માત થઈ રહ્યા છે. જેથી સ્પીડ બ્રેકર કે પ્રેશર પોઇન્ટ રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે.