રાજકોટ, અમરેલી સહિતના કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાન 41 ડીગ્રીને પાર કરી જતાં લોકો ગરમીથી અકળાયા
છેલ્લા બે દિવસથી વેર્સ્ટન ડીસ્ટબન્સને કારણે જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન વધી ગયું છે, રાજકોટ, અમરેલી સહિતના શહેરોમાં તો મહત્તમ તાપમાન 41 ડીગ્રીને આંબી ગયું છે, જયારે જામનગરમાં 38 ડીગ્રી નજીક એટલે કે 37.9 ડીગ્રી થઇ જતાં સતત બીજા દિવસે પણ લોકો ગરમીથી અકળાઇ ઉઠયા છે, કેટલાક વિસ્તારોમાં વિજળી રાણી ગુલ થઇ જતાં લોકો ખુબ જ પરેશાન થયા છે, આજે સવારથી ફરીથી ગરમીનો માહોલ જોવા મળે છે.
કલેકટરકચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 37.9 ડીગ્રી, લઘુતમ તાપમાન 20.6 ડીગ્રી, હવામાં ભેજ 55 ટકા, પવનની ગતિ 25 થી 30 કિ.મી.પ્રતિકલાક રહી હતી. જો કે હવે આગામી દિવસોમાં ધીરે-ધીરે ગરમી શ થશે એવું હવામાન ખાતાએ જણાવ્યું છે, જો કે હજુ મોડી રાત્રે ઠંડો પવન જોવા મળે છે.
રાજયમાં છેલ્લા અઠવાડીયાથી ધીમે-ધીમે ગરમી વધી રહી છે, લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે, સામાન્ય રીતે હોળી-ધુળેટી બાદ ગરમીનું પ્રમાણ ખુબ જ વધી જાય છે, આ વખતે શઆતમાં જ જોરદાર ગરમી પડશે તેવી અગાઉથી આગાહી કરવામાં આવી છે. ગઇકાલે રાજકોટમાં પણ આકાશમાંથી અંગારા વરસ્યા હતાં અને અમરેલી અને જુનાગઢમાં પણ આકરી ગરમી શ થઇ ગઇ છે.
ગઇકાલ બપોરથી જ સુર્યદેવતાનો પ્રકોપ શ થઇ ગયો છે, સોમવારે આખો દિવસ અસહ્ય ગરમી જોવા મળી હતી, હવે ધીરે-ધીરે ગરમી વધશે, જો કે આ વખતે ગરમીનું પ્રમાણ ખુબ જ વધુ રહેશે, હજુ એકાદ વખત ઠંડી-ગરમીનું વાતાવરણ જોવા મળશે, વેર્સ્ટન ડીસ્ટબન્સના કારણે હવામાનમાં સારા એવા ફેરફાર થયા છે, બેવડી ઋતુથી લોકો કંટાળી ગયા છે.
ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે, આમ ધીરે-ધીરે મીશ્ર ઋતુની શઆત થઇ ચૂકી છે, તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસી જવું જેવા રોગો ધીરે-ધીરે વઘ્યા છે તે પણ હકીકત છે. કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડી-ગરમીનું મિશ્ર વાતાવરણ જોવા મળ્યું છે, જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શ થઇ છે પણ હકીકત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech