દુબઈથી મુંબઈ જઈ રહેલી એક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં અચાનક આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. વિમાનમાં તકનીકી ખામી અથવા ઈમરજન્સીના કારણે આગ લાગવાની જાણ થતાં જ પાયલોટ દ્વારા તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે અને મોટો અકસ્માત ટાળવા માટે ફ્લાઈટનું રાજકોટના ગ્રીનફીલ્ડ હિરાસર એરપોર્ટ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઘટનાની જાણ રાજકોટ શહેર અને જિલ્લા તંત્રને થતાં જ વહીવટી મશીનરી દોડતી થઈ ગઈ હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ ફાયરબ્રિગેડની અનેક ગાડીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો તાત્કાલિક હિરાસર એરપોર્ટ ખાતે રવાના કરી દેવામાં આવ્યો છે. એરપોર્ટ પર કોઈ પણ અનિચ્છનીય બનાવને પહોંચી વળવા માટે રેસ્ક્યૂ ટીમ અને એમ્બ્યુલન્સનો કાફલો પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે.
ફ્લાઈટમાં સવાર મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને એરપોર્ટ પર હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટી, ફાયર ફાઈટર્સ અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઈમરજન્સી રિસ્પોન્સ પ્લાન કાર્યરત કરવામાં આવ્યો છે. વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવીને તમામ મુસાફરોને સલામત બહાર કાઢવા માટેની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application