રાજકોટમાં ભુપેન્દ્ર રોડ ઉપર બાલાજી મંદિર સામે આવેલા યોર રેસ્ટોરન્ટ એન્ડ પાર્સલમાં ફૂડ ચેકિંગ કરવામાં આવતા ત્યાં આગળ બધું જ વાસી મળ્યું હતું અને કુલ ૬૨ કિલો અખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કરી તેનો સ્થળ ઉપર નાશ કરાયો હતો તેમજ સેમ્પલ લઇને નોટિસ પણ ફટકારાઇ હતી.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ બ્રાન્ચના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે, સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શીરોમણી કોમ્પ્લેક્ષ, કવિ નાનાલાલ માર્ગ, બાલાજી મંદિર સામે, ભૂપેન્દ્ર રોડ, રાજકોટ મુકામે આવેલ યોર રેસ્ટોરેન્ટ એન્ડ પાર્સલ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી પ્રિપેર્ડ-ફૂડ, વાસી શાકભાજી તથા એક્સપાયરી ચીઝ સોસ વગેરે મળીને અંદાજીત ૬૨ કિલો વાસી અખાદ્ય જથ્થાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીની તપાસ દરમિયાન કિચન અને સ્ટોરેજ સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા ખાદ્યચીજો મુજબ સ્ટોરેજની યોગ્ય પધ્ધતિ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી તેમજ સ્થળ ઉપરથી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ પંજાબી સબ્જી માટેની ગ્રેવી, પનીર, તથા રેડ ચીલી સોસના સેમ્પલ લઇ ફૂડ લેબમાં મોકલવા કાર્યવાહી હાથ ધરાઇ છે.
ઉપરોક્ત કાર્યવાહી ઉપરાંત ફૂડ વિભાગની ટીમ તથા ફૂડ સેફટી વાન સાથે પી.ડી.એમ. કોલેજ સામે, ગોંડલ રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં આઠ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાધ્ય ચીજોના કુલ ૨૦ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ આવકવેરા વિભાગની આવક ૧૭ ટકા વધીને રૂપિયા ૪,૩૭૯ કરોડ પર પહોંચી
May 02, 2025 03:22 PMતળાજામાં મધ્યરાત્રીએ ધડાકાભેર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
May 02, 2025 02:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech