જામનગરમાં દાઉદી વ્હોરા સમાજે રંગમતી નદી પુનરોદ્ધાર પ્રોજેક્ટમાં સહયોગ આપવા માટે જામનગર મહાનગરપાલિકા સાથે ભાગીદારી કરી છે. આ પ્રોજેકટ અંતર્ગત ભાગીદારીના પ્રારંભરૂપે, સ્થાનિક સમાજના સભ્યો દ્વારા જામનગર મ્યુનિસિપલ કમિશનર દિનેશ મોદીના નેતૃત્વમાં રંગમતી નદી ખાતે સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સફાઇ બાદ એક ઔપચારિક સમારોહ યોજાયો હતો. જામનગર દાઉદી વ્હોરા સમાજના એક વરિકષ્ઠ સભ્યએ જણાવ્યું હતું કે, પરમ પાવન સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબે હંમેશા અમને જે શહેરમાં આપણે રહીએ છીએ ત્યાં રચનાત્મક યોગદાન આપવા માટે માર્ગદર્શન આપ્યું છે.
રંગમતી નદીના પુનરોદ્ધારમાં સહયોગએ જામનગર પ્રત્યેની અને આવનારી પેઢીઓ પ્રત્યેની અમારી જવાબદારી દર્શાવે છે. જેઓ તેમના પર્યાવરણ, સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તા માટે આ નદી પર નિર્ભર છે.