જામનગર : જામવાડી ગામના ખેડૂતનું અકસ્માતે કૂવામાં ડૂબી જવાથી મૃત્યુ
જામનગર : જામવાડી ગામના ખેડૂતનું અકસ્માતે કૂવામાં ડૂબી જવાથી મૃત્યુ
December 22, 2025 07:13 AM
જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા જયંતીભાઈ ભગવાનજીભાઈ ખાંટ નામના ૬૨ વર્ષના ખેડૂત તા. ૨૦ના રોજ પોતાની વાડીમાં કુવાના કાંઠે પાણીની પાઇપલાઇન રીપેર કરી રહ્યા હતા, તે દરમિયાન તેઓનો એકાએક પગ લપસી જતાં કુવામાં પડી ગયા હતા, અને ડુબી જવાના કારણે તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર ચિરાગ જયંતીભાઈ પટેલે પોલીસને જાણ કરતાં જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.આર. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા.