ખોડીયાર કોલોની વિસ્તારમાં ફર્નિચરના ગોદામમાં આગ

  • June 17, 2025 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ક્રિસ્ટલ મોલની બાજુમાં આવેલા ગજાનંદ ફર્નિચર નામના શો‚મના ગોદામમાં ગઇ સાંજે અકસ્માતે આગ લાગી હતી અને લાકડાનું ફર્નીચર વગેરે સળગી ઉઠતાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું, અને સમગ્ર વિસ્તારમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.


આગના બનાવની જાણ ફાયર બ્રિગેડ શાખાને કરાતાં જામનગર મહાનગર પાલિકાની ફાયર બ્રિગેડ શાખાના ચીફ ફાયર ઓફિસર કે.કે.બીશ્નોઈ ખુદ મોટી ટીમ સાથે બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને અલગ અલગ ત્રણ ફાયર ફાઇટરો ની મદદ લઈને ચો તરફથી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને મોટુ નુકશાન થતા અટકાવ્યુ હતું.
​​​​​​​

ખોડીયાર કોલોની મેઇન રોડ પર જ આ શોરૂમ આવેલો હોવાના કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, અને પોલીસ તંત્રને પણ ભારે કવાયત કરવી પડી હતી. આ ઘટના સમયે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. આગનું ચોક્કસ કારણ તેમજ નુકસાનીનો અંદાજ જાણી શકાયો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application