બિહારના મુઝફરપુરમાં ખાનગી પ્રસાદ હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાથી દસ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. આગ એટલી ભીષણ હતી કે મૃતકોની સંખ્યા વધી શકે છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ફાયર બ્રિગેડ, પોલીસ અને વહીવટી ટીમો ઘટનાસ્થળે છે. આશરે ૨૦ દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને એસએસપી સહિત તમામ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. હોસ્પિટલ નજીક મોટી ભીડ
એકઠી થઈ રહી છે, અને તેમને કાબુમાં લેવા માટે મોટી પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રે મુઝફરપુરના બ્રહ્મપુરામાં ખાનગી પ્રસાદ હોસ્પિટલના આઈસીયુમાં લાગેલી આગમાં ચાર લોકોના મોતની પુષ્ટ્રિ કરી હતી. બધા દર્દીઓ એક અઠવાડિયાથી દાખલ હતા. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટના સવારે ૩:૨૦ વાગ્યે બની હતી. ઘટના સમયે ૧૫ થી વધુ દર્દીઓને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. અિશામક ટીમનો અંદાજ છે કે દર્દીઓની સંખ્યા લગભગ ૨૫ છે. અન્ય ઘાયલોને બીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાથી બ્રહ્મપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ઘણા કલાકો પછી પણ, ઘટનાસ્થળે હાજર લોકો મૃત્યુઆંકનો વાસ્તવિક આંકડો આપી શકયા ન હતા, કારણ કે બેભાન અવસ્થામાં બચાવાયેલા લોકોને નજીકની અન્ય હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા હતા. હોસ્પિટલ સ્ટાફ શઆતમાં બચાવ કાર્યમાં સામેલ હતો, પરંતુ પછી અંધાધૂંધી સર્જાઈ ગઈ. બ્રહ્મપુરા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તેમને અવાજથી આગ લાગવાની માહિતી મળી. આ પછી, જેમને તક મળી, તેઓ ઘટનાસ્થળે દોડી ગયા અને બચાવ કાર્ય શ કયુ. અિશામકોએ જણાવ્યું કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી અને ૧૦ થી ૧૫ બેભાન લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મૃત્યુઆકં વધી શકે છે.
આ ઘટનાએ હોસ્પિટલની અિશામક વ્યવસ્થાનો પર્દાફાશ કર્યેા છે. યારે આગ લાગી ત્યારે હોસ્પિટલનું ફાયર હાઇડ્રન્ટ નિષ્ફળ ગયું. કેટલાક અિશામક સાધનો હતા, પરંતુ તેમને ચલાવવા માટે કોઈ ત્યાં નહોતું. આગ ઓલવવા માટે કોઈ સ્ટાફ દેખાયો નહીં. આખું આઈસીયુ ધુમાડાથી ભરાઈ ગયું. દર્દીઓ અને તેમના સંબંધીઓ ચીસો પાડવા લાગ્યા અને કોઈ સાંભળવા જેવું નહોતું. હોસ્પિટલના વિવિધ માળ પર લોકો દોડવા લાગ્યા. હાલ જિલ્લા વહીવટીતત્રં અને હોસ્પિટલ મેનેજમેન્ટ અન્ય માળ પર દાખલ દર્દીઓની સારવાર માટે વ્યવસ્થાની પુષ્ટ્રિ કરી રહ્યા છે. બિહારની કોઈ હોસ્પિટલમાં આગ લાગવાની આ પહેલી ઘટના છે. મુઝફરપુરની પ્રસાદ હોસ્પિટલમાં રાત્રે લગભગ ૩:૨૦વાગ્યે આગ લાગી. અંધાધૂંધી એટલી હતી કે ફાયર વિભાગને સવારે ૩:૫૫ વાગ્યે માહિતી મળી. ફાયર ફાઇટર્સના જણાવ્યા અનુસાર, તેમણે ૧૦ થી ૧૫ લોકોને બચાવ્યા જે બેભાન હતા. કેટલાક ઓકિસજન માસ્ક પહેરેલા હતા, યારે અન્ય સંપૂર્ણપણે બેભાન હતા. આઈસીયુ ધુમાડાને કારણે સૌથી ખરાબ સ્થિતિમાં હતું. ચાર મૃતદેહો તેમના સંબંધીઓ સાથે હોસ્પિટલની બહાર પડા હતા. બાકીના સંબંધીઓ હોસ્પિટલ અને પોલીસ પર મૃત્યુઆકં ઓછો બતાવવા મૃતદેહ છુપાવવાનો આરોપ લગાવી રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ચોથા માળે વેઇટિંગ હોલમાંથી પાંચમા માળે આવેલા આઈસીયુ સુધી પહોંચવું પણ મુશ્કેલ હતું. ફાયર ફાઇટરોએ બારીઓ અને દરવાજા તોડીને આઈસીયુ અને અન્ય વોર્ડમાં ફસાયેલા દર્દીઓને બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application