ગાઈકલે દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. તહેવારની ઉજવણી દરમિયાન દિલ્હીના શાહદરામાં ફાયરિંગ થયું હતું. આ ગોળીબારમાં બે વ્યક્તિ અને તેના ભત્રીજાને ગોળી મારી દીધી હતી.
અધિકારીએ જણાવ્યું કે પીડિત લોકો શાહદરાના ફરશ બજાર વિસ્તારમાં તેમના ઘરની બહાર દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે રાત્રે લગભગ 8 વાગ્યે તેમના પર હુમલો કરવામાં આવ્યો. જ્યારે રાત્રે 8.30 વાગ્યે પીસીઆર કોલ આવ્યો ત્યારે પોલીસની એક ટીમને વિસ્તારમાં મોકલવામાં આવી હતી. ટીમ દ્વારા ઘટના સ્થળની તપાસ કરવામા આવી હતી.
કેવી રીતે થયું ફાયરિંગ?
ઘટનાસ્થળે હાજર લોકોએ પોલીસને જણાવ્યું કે આરોપીએ ગોળી મારતા પહેલા આકાશ શર્માના પગને સ્પર્શ કર્યો હતો અને પછી તેના પર હુમલો કર્યો હતો. આકાશ શર્મા પાસે ઉભેલા તેમના પુત્ર ક્રિશ અને ભત્રીજા ઋષભને પણ ગોળી વાગી હતી. બધાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અધિકારીએ જણાવ્યું કે આકાશ શર્મા અને ઋષભ શર્માને હોસ્પિટલમાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા જ્યારે ક્રિશ શર્માની હાલત નાજુક છે અને તેની સારવાર ચાલી રહી છે.
ડીસીપીએ જણાવ્યું હતું કે, લગભગ 8:30 વાગ્યે માહિતી મળી કે ફરશ બજાર વિસ્તારમાં ગોળીઓ ચલાવવામાં આવી છે. ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ અંગત અદાવતનો મામલો હોવાનું જણાય છે. જો કે આ મામલે તપાસ ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ આવકવેરા વિભાગની આવક ૧૭ ટકા વધીને રૂપિયા ૪,૩૭૯ કરોડ પર પહોંચી
May 02, 2025 03:22 PMતળાજામાં મધ્યરાત્રીએ ધડાકાભેર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
May 02, 2025 02:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech