પોરબંદર જિલ્લામાં પડેલા વધુ વરસાદ અને ઉપરથી છોડવામાં આવેલા પાણીના કારણે પશુપાલકોનો ઘાસચારો નાશ પામ્યો છે ત્યારે તંત્ર દ્વારા પશુપાલકોના કાર્ડ ઇસ્યુ કરીને ઘાસ પહોચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પોરબંદર જિલ્લા વહીવટી તંત્રએ હાલની વરસાદી સ્થિતિમાં પશુપાલકોને મુશ્કેલી ન પડે અને રાહત મળે તે માટે રજાના દિવસે પણ તાત્કાલિક ધોરણે પશુપાલકોને વિનામુલ્યે ઘાસ પુ પાડવા માટે કાર્ડ ઇસ્યુ કર્યા હતા. રાજય સરકારના પરિપત્રની અમલવારી કરવા માટે જિલ્લા વહીવટી તંત્રએ થોડા કલાકોમાં આ કામગીરી પુર્ણ કરતા પશુપાલકોને પણ રાહત થઈ હતી.વન વિભાગના ગોડાઉનમાંથી ઘાસનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
પોરબંદરના કલેકટર એસ.ડી.ધાનાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વન વિભાગ અને મામલતદાર કચેરી વચ્ચે સંકલન કરી ગ્રામ્ય સ્તરે આ બાબતે જાણકારી આપી પશુપાલકોને જાણ કરવામાં આવી હતી.પશુપાલકોને તાત્કાલિક ધોરણે એક પશુદીઠ ચાર કિલો ધાસ એક સામટે સાત દિવસનો જથ્થો વિનામુલ્યે આપવામાં આવ્યો હતો,તેમ આ કામગીરીની વિગત આપતા ડિઝાસ્ટર મામલતદાર પોરબંદર દ્વારા જણાવાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMજામનગરમાં મોમાઈનગરમાં મકાનોને નોટિસ પાઠવવામાં આવતા મનપામાં રજુઆત
May 03, 2025 06:40 PMલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMજામનગર : પોલીસ હેડક્વાર્ટરમા જુના વાહનોની જાહેર હરાજી
May 03, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech