પ્રભાસપાટણ સોમનાથ ખાતે નગરપાલિકા ની બેદરકારીને કારણે ઠેર ઠેર ગંદકી જોવા મળે છે અને આ ગંદકીમાં ગાયો, ખુટીયા, ભુંડ સહિતના પશુઓ પ્લાસ્ટિકની થેલીમાંથી કચારા અને ખાધ પદાર્થેા ખાતા હોય છે તેમજ તેવો ગંદકીમાં આળોટી અને બજાર તેમજ રહેણાંક વિસ્તારમાં આંટા મારતા હોવાથી વધુ ગંદકી ફેલાવે છે.
પ્રભાસપાટણ શહેરમાં ખુબ ગીચ વસ્તી અને મુખ્ય બજાર અને શહેર ના અન્ય વિસ્તારોમાં સંકડાઈ આવેલ છે અને તેમાં ઠેર ઠેકાણે ગંદકીને કારણે લોકો ખુબજ પરેશાન છે. આ ગંદકીને કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળામાં વધારો થાય છે કચરો એકઠો કરવા નગરપાલિકાનું ટીપર વાહન આવે છે પરંતુ તે ઝડપથી પસાર થાય છે જેથી કચરો નાખી શકાતો નથી.
શાંતીનગર વિસ્તારમાં મંગલમ સોસાયટીમાં ધણા સમયથી રસ્તા થયેલ નથી અને ત્યાં સીમ શાળા આવેલી છે જેના બાળકો ખુબજ હેરાન થાય છે તે વિસ્તારના નગરપાલિકાના કોંગ્રેસ સભ્ય પહેલા ખુબજ રજુઆત કરતા પરંતુ નગરપાલિકાના સભ્ય બન્યા બાદ શાંત થયેલ છે.
લોકો નગરપાલિકાના તમામ વેરા સમયસર ભરે છે પરંતુ તેઓને પાયાની સુવિધાઓ મળતી નથી. જેથી લોકો ખુબજ પરેશાન છે. લોકોની માંગણી છે કે ગંદકી દુર કરી રોડ રસ્તાની સુવિધાઓ ઉભી કરવામાં આવે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech