કિશાન પરિવહન યોજના અંતર્ગત ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગના સંયુકત ખેતી નિયામકે વર્ષ ૨૦૨૪–૨૫ માટેના લયાંકો જાહેર કર્યા છે અને તે મુજબ ૧૧૦૦ ખેડૂતોને ગુડસ કેરેજ વાહન તેમજ ટ્રેકટર ટ્રેલર ખરીદી માટે . ૫૫૦ લાખની સહાય સબસીડીના સ્વપમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે.
જિલ્લા વાઈઝ નક્કી કરાયેલા ટાર્ગેટમાં સૌરાષ્ટ્ર્રની વાત કરીએ તો અમરેલીમાં ૫૨ કચ્છમાં ૫૧ ગીર સોમનાથ જિલ્લામાં ૨૩ જૂનાગઢમાં ૩૮ જામનગરમાં ૩૪ દેવભૂમિ દ્રારકામાં ૨૦ પોરબંદરમાં ૧૪ બોટાદમાં ૧૭ ભાવનગરમાં ૪૩ મોરબીમાં ૩૦ રાજકોટમાં ૫૭ સુરેન્દ્રનગરમાં ૪૫ ખેડૂતોને વાહન ખરીદીમાં સબસીડી આપવાનો ટાર્ગેટ નક્કી કરાયો છે.
જે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે તે ૧૦૦% સફળ થાય તે માટે આયોજન કરવાની સૂચના આપતા સંયુકત ખેતીવાડી નિયામકે તમામ જિલ્લા પંચાયતોના ખેતીવાડી અધિકારીઓને એક પરિપત્ર પાઠવી ને જણાવ્યું છે આઈ ખેડૂત પોર્ટલ પર આ માટે અરજી કરવાની હોય છે પોર્ટલ પર દરેક અરજીનું શું સ્ટેટસ છે તે સતત અપડેટ કરવાનું રહેશે. પૂર્વ મંજૂરી બાદ જો સમય મર્યાદામાં કોઈ ખેડૂત ખરીદી કરી કલેમ રજૂ ન કરે તો આવી અરજીઓને સમયસર ઓનલાઈન રિજેકટ કરવાની રહેશે અને વેઇટિંગ લિસ્ટ માં પડેલી અરજીઓને મંજૂરી આપવાની રહેશે. વાહન ખરીદીનો કલેઈમ મળ્યા પછી તુરત જ ભૌતિક ચકાસણી કરીને નિયમ અનુસાર અરજીઓના તાત્કાલિક પેમેન્ટ ઓર્ડર કરવાના રહેશે અને ચૂકવવાનું કરી દરેક ચુકવણું થઈ ગયું છે કે કેમ તેની ખરાઈ કરવાની રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ આવકવેરા વિભાગની આવક ૧૭ ટકા વધીને રૂપિયા ૪,૩૭૯ કરોડ પર પહોંચી
May 02, 2025 03:22 PMતળાજામાં મધ્યરાત્રીએ ધડાકાભેર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
May 02, 2025 02:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech