BREAKING NEWS

વીરનગરમાં ખાટલેથી પટકાયેલા ગ્રામ પંચાયત સદસ્યનું મૃત્યુ

  • May 15, 2026 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 આટકોટ વિરનગરમાં રહેતાં ૩૫ વર્ષના યુવાનનું આંચકી આવ્યા બાદ ખાટલામાંથી પડી જતાં કપાળમાં ટેબલ લાગી જતાં ઇજા થવાથી મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ વિરનગર ગામ પંચાયત નાં સદસ્ય નિલેષભાઇ ભોલાભાઇ વઘાસીયા (ઉ.વ.૩૫) નામના યુવાન ગઇકાલે બપોરે જમીને ખાટલામાં સુતા હતાં. એ વખતે બપોરે બે વાગ્યા આસપાસ અચાનક તેમને આંચકી આવતાં ખાટલામાંથી તેઓ પડી જતાં બાજુમાં જ ટેબલ રાખેલુ હોઇ તેનો ખુણો તેમને કપાળે લાગી જતાં ઇજા થતાં બેભાન જેવા થઇ ગયા હતાં.
તેમને સારવાર માટે આટકોટની હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દતોં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આટકોટ પોલીસન ંજાણ કરી હતી. મૃત્યુ પામનાર નિલેષભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના તથા અપરિણીત હતાં. તેઓ ખેતી કરી પરિવારને મદદપ થતાં હતાં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News