ચોમાસાની ઋતુના કપાસના પાકમાં જોવા મળતી ચૂસિયા જીવાત બાબતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તથા મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર દ્વારા ચુસિયા જીવાતના સંકલિત નિયંત્રણ અંગે લેવાતી તકેદારીના પગલાં અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે.
જેમાં મોલોમથી તથા તડતડીયાના જૈવિક નિયંત્રણ માટે પરબક્ષી લીલી પોપટીની દિવસની ઇયળો હેક્ટરે ૧૦,૦૦૦ ની સખ્યામાં ૧૫ દિવસના ગાળે બે વખત છોડવી, લીમડાના મીજનું ૫૧નું વાવણ અથવા એઝાડીરેકટીન જેવી બિનાસાયણિક તત્વ ધરાવતી ૧૫૦૦, ૩૦૦૦ કે ૧૦૦૦૦ પીપીએમ અનુક્રમે ૫ લી. ૨.૫ લીટર કે ૭૫૦ મીલી પતિ હેક્ટરે ઉપયોગ કરવો, મોલો મશી સફેદ માખીની જીવાતના ઉપદ્રવના પૂર્વ અનુમાન માટે હેક્ટરે ૫ થી ૬ સ્ટીકી ટ્રેપ ગોઠવવી જોઈએ.
સફેદ માખીના નિયંત્રણ માટે એઝાડીરેકટીન ૧૫૦૦ પીપીએમ ૫૦ મીલી ૧૦ લીટર પાણીમાં, ફ્લોનીકામીડ ૫૦ ડબલ્યુ જી. ૩ ગ્રામ એસીફેટ ૭૫ એસ.પી. ૧૫ ગામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા બુપોડેજીન ૨પ એસ.સી. ૨૦ મીલી.એસીટાપીપિડ ૨૦ એમ.પી. ૨ ગ્રામ, ડાયકેન્યુરોન ૫૦ ડબલ્યુ.જી. ૧૨ ગામ પૈકી કોઈ પણ એક દવા કપડા ધોવાના સોડા ૫ ગ્રામ સાથે ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો
ફૂગજન્ય જૈવિક જંતુનાશક દવા જેવી કે વર્ટીસીલીયમ લેકાની અથવા બુવેરીયા બાસીયાના ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં પાકની શરૂઆતની અવસ્થાએ વાતાવરણમાં ભેજ હોય ત્યારે છંટકાવ કરવો, આ જૈવિક દવાઓ રાસાયણિક દવાઓ સાથે પણ વાપરી શકાય.
મીલીબગનો વધુ ઉપદ્રવ હોય તો ૧૫ દિવસનાં અંતરે કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૫ મીલી, કપડા ધોવાના સોડા અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈસી ૧૫ મીલી અથવા એસીફેટ ૭૫ એસ.સી. ૩૦ ગ્રામ, કપડા ધોવાના સોડા ૧૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં અથવા એસીટામીપ્રીડ ૨૦ એસપી ૨ ગ્રામ અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈસી ૨૦ મીલી ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ.
કેરોસીનવાળા પાણીમાં અર્ધ ખુલેલા કે આખા ખુલેલા જીંડવાઓ ખંખેરી રૂપલાં ભેગા કરી નાશ કરવો અથવા છોડ હલાવી અને બે છેડેથી દોરડું પકડી હારમાં ઝડપથી ચાલવાથી આ રૂપલાઓને નીચે પાડી નાશ કરી શકાય છે.
મોલો મશી, તડતડિયા અને થ્રિપ્સના નિયંત્રણ માટે લીમડાના બનાવટની દવા ૧% ૨૫ મીલી, બ્યુવેરિયા બેસિયાના ૬૦ ગ્રામ, કલોનીકામીડ ૫૦ ડબલ્યુજી ૩ ગ્રામ, ડાયમીથોએટ ૩૦ ઇ.સી. ૧૦ મીલી. ઈમીડાકલોપ્રીડ ૨૦૦ એસ.એલ. ૪ મીલી, થાયોમીથોકઝામ ૨૫ ડબલ્યુ જી ૨-૩ ગ્રામ,એસીટામીપ્રિડ ૨૦ એસ.સી. ૨-૪ ગ્રામ અથવા ફીપ્રોનીલ ૫ એસ.સી. ૨૦ મીલી પૈકી કોઈપણ એક કીટનાશકનો ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી સંબંધિત વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી / નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech