BREAKING NEWS

જામનગરમાં ગુરુદ્વારા ખાતે ગુરુનાનક દેવજીની 556મી જન્મ જયંતિની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી

  • November 05, 2025 12:11 PM 

જામનગર ખાતે ગુરુદ્વારે ગુરુસિંઘ  સભામાં ગુરુનાનકજીની 556મી જન્મ જયંતિ ધામધૂમથી મનાવવામાં આવી રહી છે.   જેમાં ગુરુદ્વારા ખાતેથી પ્રભાત ફેરી અને સેજ સાહેબનું આરંભ કરવામાં આવ્યુ હતું. જે આજે 5 નવેમ્બરના દિવસે સેજપાઠ જીની સમાપ્તિ કરવા આવી હતી તે પછી શબ્દ કીર્તન તે પછી ગુરુ કે લંગર મહા પ્રસાદનું પણ આયોજન કરવા આવ્યુ છે જેમાં શીખ સમાજના ભાઈઓ-બહેનો અને ધર્મપ્રેમી જનતા( સંગત) બહોળી સંખ્યામાં જોડાયા હતા.
​​​​​​​

ગુરુનાનક દેવજીના જન્મ અવતાર માતા તૃપ્તાજી અને પિતા મેહતા કાલૂ જીના  ઘરે નાનકાણા સાહેબમાં  થયો હતો જે હાલ પાકિસ્તાન માં છે ,શીખ ધર્મના પહેલા ગુરુ ગુરુનાનદેવ જી હતા, તેમના તન સિદ્ધાંતો હતા 'નામ જપો; કીર્તન કરો અને વંડ છકો,,અર્થ થાત હંમેશા ભગવાનને યાદ કરો ,,મહેનત કરો ,,અને એક બીજા હળી-મળીને સંપીને લોકોની સેવા કરો,,ગુરુનાનકજીએ આખી દુનિયાનું પરિભ્રમણ પણ કર્યું હતું. છેલ્લે તે કરતારપુર માં અંતિમ સમયમાં રહેતા હતા ત્યાં તે જોતીજોત સમાગએ [ દેવ લોક]  ગયા હતા. 

આજે આખો વિશ્વ ગુરુનાનક દેવજીની 556મી જન્મ જયંતિ ઉજવી રહી છે ત્યારે જામનગરના ગુરુદ્વારમાં પણ એક સપ્તાહમાં અલગ અલગ ધાર્મિક કાર્યકર્મો કરવામાં આવ્યા  હતા, આજ રોજ 10:30 વાગે  સેજ પાઠજીની સમાપ્તિ કરવા આવી હતી ,તે પછી દિલ્હીથી વિશેષ મહેમાન ભાઈ સાહેબ જસપાલ સિંઘજીએ કથા,અને શબ્દ કીર્તન, કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ' ગુરુકા લંગર' પ્રસાદીનું આયોજન કરવા આવ્યુ  છે જેમાં શીખ  સમાજ અને સિંધી સમાજ લોકો ભાગ લીધો હતો....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application