શહેરના 150 ફૂટ રીંગ રોડ પરના વિસ્તારમાં રહેતી પરણીતા પર વિધર્મી શખસ દ્વારા ફોન અને મેસેજનો મારો ચલાવી તેની પજવણી કરવામાં આવી હોવાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પાડોશમાં રહેતી મહિલાએ આરોપીને ધર્મનો ભાઈ બનાવ્યો હોય જેથી તે તેના ઘરે આંટો મારવા આવ્યો હતો દરમિયાન પરિણીતા સાથે પરિચય કેળવી તેનો નંબર મેળવી લીધા બાદ પજવણી શરૂ કરી હતી. આ અંગે પરિણીતાની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ખેડા જિલ્લાના અલીણા ગામે રહેતા આ શખસ સામે ગુનો નોંધી તેને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર રહેતી વેપારીની પત્ની દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઈમ્તિયાઝ હુસેન બિસ્મિલ્લા (રહે જૂનો સંચો વિસ્તાર, પંચાયત ચોકની બાજુમાં અલીણા તા. મહુધા જિ. ખેડા)નું નામ આપ્યું છે.જેના આધારે પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 354(ડી) મુજબ ગુનો નોંધ્યો છે.
પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પાડોશમાં રહેતી મહિલાએ આરોપીને ધર્મનો ભાઈ બનાવ્યો હોય દરમિયાન આ મહિલાનો પતિ બીમાર હોવાથી આરોપી અહીં આવ્યો હતો અને થોડા દિવસ રોકાયો હતો. તે સમયે તેણે પરિચય કેળવી પરિણીતાનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો. બાદમાં આરોપીએ પરિણીતાને અવારનવાર કોલ તથા ટેક્સ મેસેજ કરવાનું શરૂ કર્યું હતું. ફરિયાદીએ ફોન અને મેસેજ કરવાની ના પાડવા છતાં આરોપીએ મેસેજનો મારો ચલાવ્યો હતો. જેથી કંટાળી જઇ અંતે પરિણીતાએ આ શખસ સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. પી.એસ.આઇ વી.એચ. પરમાર તથા તેમની ટીમે તપાસ હાથ ધરી આરોપી ઇમ્તીયાઝ હુશેન બિસ્મીલ્લાહને ઝડપી લીધો હતો.આરોપી બે સંતાનનો પિતા હોવાનું અને તે ખેતીકામ કરતો હોવાનું માલુમ પડયું છે.
નંબર બ્લોક કરતા અન્ય નંબરમાંથી ફોન કરવા લાગ્યો
પરિણીતાએ જણાવ્યું હતું કે, આરોપીએ તેને અવારનવાર ફોન કરવાનું અને મેસેજ કરવાનું શરૂ કરી દેતા તેણે તેનો નંબર બ્લોક કરી દીધો હતો. બાદમાં આરોપીએ એક બાદ એક અજાણ્યા નંબરમાંથી પરિણીતાને કોલ અને મેસેજ કરવાનું ચાલુ રાખ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech