BREAKING NEWS

નરોડા હત્યાકાંડના મુખ્ય આરોપી ડો. માયાબેન કોડવાણીના નિર્દોષ છુટકારા બાદ જામનગરમાં હિન્દુ સેનાએ કર્યું સન્માન

  • January 16, 2026 09:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય સિંધુ સભા જામનગરના આયોજકોનું તલવાર ભેટ આપી હિન્દુ સેનાએ વિશેષ સન્માન સાથે બી.એસ.એસ. માં કામ કરવા સંકલ્પ બંધ થયા હતા.


રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ ભારત સરકાર હેઠળ ચાલતી ભારતીય સિંધુ સભા દ્વારા જામનગરના ટાઉનહોલ ખાતે સંસ્કારોથી સજજ ઉછેર કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં 90 થી વધુ કલાકારોએ ભાગ લઈ વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિકતાને આધારિત કાર્યક્રમો રજૂ કરેલ હતા.

​​​​​​​

જે સમયે ભારતીય સિંધુ સભા જામનગરના આયોજક જગદીશભાઈ  દુલાણી-યુવા અધ્યક્ષ, નિકિતાબેન કેવલરામાણી-મહિલા અધ્યક્ષ, ઘનશ્યામદાસ ગંગવાણી- અધ્યક્ષ તથા ભારતીય સિંધુ સભાના તમામ હોદેદારો અને સમિતિ સભ્યો અને બહારથી આવેલા નલીનીબેન પોપટાણી-રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, મુકેશભાઈ લખવાણી-રાષ્ટ્રીય અધ્યક્ષ, દિલીપભાઈ  પબરેજા-ગુજરાત અધ્યક્ષ તથા કર્ણાવતીથી ખાસ  પધારેલા, જે 1998 થી 2012 સુધી ધારાસભ્ય રહી ચૂકેલા તથા ગુજરાત સરકારમાં મહિલા અને બાળ રાજ્યમંત્રી, કે જે 2002- ગોધરા કાંડ દરમિયાન ગુજરાતમાં ફાટી નીકળેલા તોફાનો બાદ કર્ણાવતી નરોડા હત્યાકાંડના મુખ્ય આરોપી ડો. માયાબેન કોડવાણી નો 2018 માં ગુજરાત હાઇકોર્ટે નિર્દોષ છુટકારો આપ્યો અને ભારતીય રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ હેઠળ ભારતીય સિંધુ સભાના રાષ્ટ્રીય મહામંત્રી બી.એસ.એસ. નું જામનગરમાં હિન્દુ સેના દ્વારા તલવાર ભેટ આપી વિશેષ સન્માનિત કરાયા હતા. 


જે સમયે હિન્દુ સેનાના સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન, ધીરજ વાલેચા, ગૌરવ ભવનાણી, સંજય ધનવાણી, હિરેન ચંદન, સુનિલભાઈ વિઘાણી, કુમાર ચાવલા, રવિ ભોજવાણી, જય, હિતેશ, મુકેશ સહિતનાઓએ જયઘોષ સાથે જામનગરમાં ભારતીય સિંધુ સભામાં કામ કરવા સંકલ્પબદ્ધ થયા હતા....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application