હિરલબા જાડેજાના જામીન નામંજૂર, જૂનાગઢ જ્યુડીશીયલ કસ્ટડી હવાલે થયા

  • May 10, 2025 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના સૂરજપેલેસ બંગલા ખાતે ત્રણ વ્યક્તિઓને ૭૦ લાખની લેતીદેતી પ્રશ્ર્ને ગોંધી રાખવાના ગુન્હામાં હિરલબા જાડેજાના વધુ રીમાન્ડની માંગણી ફગાવી દેવામાં આવી હતી અને તેમણે જામીન ઉપર છૂટવા માટે કરેલી અરજી ફગાવી દેવાતા તેમને જુનાગઢ જ્યુડીશીયલ કસ્ટડી હવાલે કરી દેવાયા છે.
મૂળ કુછડી અને હાલ ઇઝરાયલ રહેતી લીલુ ઓડેદરા નામની મહિલાએ તેના પૂર્વ પતિ, પુત્ર અને પિતાને હિરલબા જાડેજાએ સૂરજપેલેસ બંગલે ગોંધી રાખ્યાનો વીડિયો વાયરલ કર્યો હતો. તેમાં ૭૦ લાખ ‚પિયાની લેતીદેતી કારણભૂત હોવાનું જણાવ્યુ હતુ. આ બનાવમાં પોલીસે હિરલબા જાડેજા અને બે સાગરિતોની ધરપકડ કરી હતી. તેના બંને સાગરિતોને અગાઉ જેલ હવાલે કરી દેવાયા હતા અને હિરલબાને અગાઉ બે દિવસના રીમાન્ડ ઉપર લીધા ત્યારે તબીયત લથડતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાથી પૂરતા પ્રમાણમાં પૂછપરછ થઇ શકી ન હતી તેથી તેઓ સ્વસ્થ થયા બાદ પોરબંદર લવાતા વધુ ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર થયા હતા.
આ રીમાન્ડની શુક્રવારે પૂર્ણાહુતિ થતા પોલીસે વધુ રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં વધુ રીમાન્ડની  પોલીસની અરજી ફગાવી દેવામાં આવી છે ત્યારબાદ હિરલબા જાડેજાએ તેમના એડવોકેટ મારફતે જામીન મુકત થવા માટે અરજી કરી હતી. આ અરજી કોર્ટે ફગાવી દીધી હતી અને તેમને જૂનાગઢ જ્યુડીશીયલ કસ્ટડી હવાલે કરવાનો હુકમ થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application