ઉત્તર ભારતમાં ઠંડીની સીઝન આવી ચુકી છે અને ધુમ્મસ શ થઈ ગયું છે. આવા હવામાનમાં માત્ર ટ્રેનો જ મોડી થતી નથી, લાઈટ પણ તેની અસરથી બચી નથી. જો કે સરકાર ધુમ્મસના પ્રકોપને ઘટાડી શકતી નથી, પરંતુ આ સમયગાળા દરમિયાન હવાઈ મુસાફરોને પડતી તકલીફોને ઘટાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે અને નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવીછે જેમાં જણાવ્યું છે કે લાઇટ બે કલાકથી વધુ મોડી પડશે તો મુસાફરોને નાસ્તો આપવો પડશે અને જો ૪ કલાક થી વધુ મોડી પડશે તો જમવાનું આપવું પડશે. ઘણીવાર એવું જોવા મળે છે કે લાઈટમાં વિલબં થવા પર એવિએશન કંપનીઓ પેસેન્જરોને તેમના હાલ પર છોડી દે છે. પરંતુ હવે આવું નહીં થાય. કેન્દ્ર સરકાર હેઠળ કામ કરતી ડિરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન અથવા ડીજીસીએએ એરલાઇન્સ પર કડક વલણ અપનાવ્યું છે. હવે લાઇટમાં વિલબં થવા લાગતાં જ તેમણે આ કામ કરવું પડશે.આ દિવસોમાં ઉત્તર ભારતમાં ઓછી વિઝિબિલિટીના કારણે લાઈટમાં વિલબં સામાન્ય છે. તેને ધ્યાનમાં રાખીને ડિરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ એરલાઈન્સને આ સૂચના જારી કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMભૂતનીને જોરદાર ઝટકો, પહેલા જ દિવસે ધોબીપછાડ
May 02, 2025 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech