BREAKING NEWS

જાપાનમાં કબ્રસ્તાન માટે જમીન નથી, મુસ્લીમો દફનવિધિ માટે મૃતદેહ પોતાના દેશ લઈ જાય, વિવાદ છેડાયો

  • December 02, 2025 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાપાનની સંસદમાં હાલમાં જ સંસેટો પાર્ટીની સાંસદ મિજુહો ઉમેમુરાએ મુસ્લિમ કબ્રસ્તાનોનો વિસ્તાર રોકવા સંબંધી નિવેદન આપ્યું હતું. જેનાથી વિવાદ છેડાયો છે. ઉમેમુરાએ જણાવ્યું હતું કે, જાપાનમાં દાહસંસ્કારની પરંપરા છે. જો મુસ્લિમો પોતાના સ્વજનોના મૃતદેહને દફનાવવા માંગે છે તો તેના મૂળ દેશમાં મૃતદેહ લઈ જાય. આ નિવેદન સોશિયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઈ રહ્યું છે અને વિવાદ ઉગ્ર બન્યો છે. 


ઉલ્લેખનીય છે કે, જાપાનમાં હવે લગભગ બે લાખ મુસ્લિમ વસ્તી છે અને જાપાની શહેરોમાં જમીનની તીવ્ર અછત છે, જેના કારણે જાપાન માટે મોટા કબ્રસ્તાન બનાવવાનું મુશ્કેલ બની ગયું છે. 


બીજું, જાપાન બૌદ્ધ ધર્મ અને શિન્ટો ધર્મથી ખૂબ પ્રભાવિત છે. પરિણામે, જાપાનમાં 99 ટકાથી વધુ અંતિમ સંસ્કાર અગ્નિસંસ્કાર દ્વારા કરવામાં આવે છે. આથી, જાપાન મુસ્લિમ વિધિઓ વિશે ખૂબ જ સ્પષ્ટ છે. આ નિર્ણય દેશમાં રહેતા મુસ્લિમ વિદેશી સમુદાય અને જાપાની નાગરિકતા મેળવનારા મુસ્લિમો માટે એક મહત્વપૂર્ણ પડકાર ઉભો કરે છે, કારણ કે ઇસ્લામમાં દફનવિધિ ફરજિયાત છે.


મુસ્લિમ સમુદાય માટે હવે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. જાપાનમાં રહેતા મુસ્લિમોને હવે તેમના મૃતક સંબંધીઓના અવશેષો તેમના અંતિમ સંસ્કાર માટે તેમના વતન પાછા મોકલવાની ફરજ પડી શકે છે.

આંકડા મુજબ, જાપાનની વર્તમાન વસ્તી ૧૨ કરોડથી વધુ છે. જાપાનની વસ્તીના ૪૮.૬ ટકા શિન્ટો ધર્મ ધરાવે છે, જ્યારે બૌદ્ધ ધર્મ ૪૬.૪ ટકા છે. ખ્રિસ્તી ધર્મ આશરે ૧.૧ ટકા છે, અને અન્ય ધર્મોના અનુયાયીઓ ૪ ટકા છે. અહેવાલો દર્શાવે છે કે જાપાનમાં મુસ્લિમોની સંખ્યા ઓછી છે પરંતુ ઝડપથી વધી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News