ગુજરાત સરકારના બજેટમાં શિક્ષણ વિભાગ માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી એમ બે મહત્વની યોજનાની જાહેરાત કરવામાં આવી છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન મળે તેમજ વિધાર્થીનીનું ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે આ યોજના શ કરવામાં આવી છે આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડીયાની જ્ઞાનદા ગલ્ર્સ હાઇસ્કુલ ખાતેથી સવારે ૯:૦૦ વાગે આ યોજનાનો પ્રારભં કરશે તેમની સાથે શિક્ષણ મંત્રી કુબેર ડીડોર ઉપસ્થિત રહેશે. બજેટમાં મંજૂર થયેલી યોજનાઓ અને નિર્ણયોની અમલવારી નવા નાણાકીય વર્ષથી થતી હોય છે પરંતુ ગુજરાતમાં આ ત્રણ યોજનાની અમલવારી નાણાકીય વર્ષ શરૂ થાય તેના એકાદ મહિના અગાઉ થઈ રહી છે.
વર્ષ ૨૦૨૪ ૨૫ ના બજેટમાં શિક્ષણ વિભાગ દ્રારા વિજ્ઞાન પ્રવાહના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કન્યાઓ ધોરણ ૧૨ સુધી શિક્ષણ પૂર્ણ કરે તે હેતુથી નમો લમી અને નમો સરસ્વતી યોજના નો સમાવેશ કરવામાં આવ્યો છે નમો લમી યોજના હેઠળ ધોરણ નવ અને દસ માટે વાર્ષિક છ૧૦,૦૦૦ તેમજ હાજરીના આધારે માસિક પિયા ૫૦૦ બાકીના ૫૦% ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ તેના ખાતામાં જમા કરાશે ધોરણ ૧૧ અને ૧૨ માટે વાર્ષિક ૧૫૦૦૦ જેમાં યોજનાનો લાભ રાય સરકારની અનુદાનિત અને ખાનગી શાળામાં અભ્યાસ કરતી અંદાજે ૧૦ લાખ કન્યાઓને મળશે.
નમો સરસ્વતી યોજના અંતર્ગત ધોરણ ૧૧ અને ૧૨ માં વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે રાય સરકાર દ્રારા નમો સરસ્વતી યોજના સાધના મેરીટ સ્કોલરશીપ શ કરવાની યોજના બનાવી છે જેમાં ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં ૫૦% થી વધુ ગુણ સાથે પાસ કરનાર વિધાર્થીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સંલ શાળાઓમાં ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે પિયા ૨૫,૦૦૦ ની સ્કોલરશીપ મળશે જેવા ધોરણ ૧૧ માટે વાર્ષિક ૧૦,૦૦૦ તેમજ ધોરણ ૧૨ માટે વાર્ષિક ૧૫૦૦૦ આપવામાં આવશે જેમાં ૫૦% રકમ વર્ષની શઆતમાં પ્રવેશ લેવા પર અને બાકીની ૫૦% રકમ બીજા સત્રમાં પ્રથમ સત્રની હાજરીના આધારે જમા કરાવવામાં આવશે.
નમો લમી નમો સરસ્વતી આ યોજનાનો આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રારભં કરવામાં આવશે રાય સરકાર દ્રારા આ મહત્વકાંક્ષી યોજના નું મુખ્ય ઉદ્દેશ વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન તથા વિધાર્થીનીઓનો અભ્યાસ પૂર્ણ થાય તે હેતુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech