ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત જ્ઞાનવાપી કેમ્પસમાં ASI સર્વેના મામલામાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. હિન્દૂ પક્ષની જ્ઞાનવાપીના મુખ્ય ગુંબજ નીચે શિવલિંગ હોવાનો દાવો કરીને ખોદકામ કરાવી વધારાના ASI સર્વેની માંગ કરતી અરજી વારાણસી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આ નિર્ણય જજ યુગલ શંભુની કોર્ટમાંથી આવ્યો છે. આ નિર્ણયને તેમના આધાર તરીકે લેતા બંને પક્ષો ન્યાયિક લડાઈ લડી શકે છે.
જ્ઞાનવાપી મુદ્દે 1991થી ચાલી રહ્યો છે વિવાદ
ઘણા વર્ષોથી જ્ઞાનવાપી મસ્જિદ મામલે ભારે વિવાદ ચાલી રહ્યો છે. વર્ષ 1991માં જ્ઞાનવાપી મસ્જિદ પર માલિકી હક્ક માટે હરિહર પાંડે, સોમનાથ વ્યાસ અને રામરંગ શર્મા દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. આ કેસ અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટી વિરુદ્ધ ભગવાન વિશ્વેશ્વરનો 1991 નો કેસ છે. લગભગ બે દાયકાથી ચાલી રહેલી સુનાવણી બાદ હિન્દૂ પક્ષ દ્વારા વારાણસીની સિવિલ જજ સીનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટમાં બે માંગણી રાખવામાં આવી હતી.
હિન્દૂ પક્ષની માંગ
હિન્દૂ પક્ષની માંગ હતી કે વજુખાનાનો ASI સર્વે કરાવવો જોઈએ, જેથી એ જાણી શકાય કે ત્યાં ખરેખર શિવલિંગ છે કે ફુવારો. હિન્દુ પક્ષનો દાવો છે કે, મસ્જિદના મુખ્ય ગુંબજની નીચે 100 ફૂટનું શિવલિંગ છે. આવી સ્થિતિમાં મસ્જિદની રચનાને નુકસાન પહોંચાડ્યા વિના ખોદકામ કરવું જોઈએ, જેથી શિવલિંગનો દાવો જાણી શકાય. હિંદુ પક્ષ માટે કોર્ટનો રસ્તો સરળ નથી કારણ કે તેની પાછળ સુપ્રીમ કોર્ટના નિર્દેશો છે. વાસ્તવમાં વજુખાનાને સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર સીલ કરવામાં આવ્યું છે.
મુસ્લિમ પક્ષે હિન્દૂ પક્ષની અરજીનો કર્યો વિરોધ
હિન્દૂ પક્ષે જ્ઞાનવાપીના મુખ્ય ગુંબજ નીચે શિવલિંગ હોવાનો દાવો કરીને ખોદકામ કરાવી ASI સરવે કરવાની માંગ કરી હતી. જોકે બીજીતરફ મુસ્લિમ પક્ષે હિન્દૂ પક્ષની અરજીનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, ખોદકામ કરવાથી મસ્જિદ સ્થળને નુકસાન થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech