તલગાજરડામાં વિદ્યાર્થીઓ ઉપરાંત ગ્રામજનોને ૧૧થી ૧૨ ફૂટ પાણીમાંથી સહી સલામત બહાર કાઢવામાં મહુવા ગ્રામ્ય પોલીસ મથકના હે. કો. હામાભાઈએ મહત્વની ભૂમિકા અદા કરી ખાખી પાછળની માનવતા સંકટ સમયે મહેકાવી હતી.
તલગાજરડા ગામે અચાનક જ ભરાયેલા પાણીથી લોકો ભારે ભયના ઓથાર નીચે આવી ગયા હતા. અને સમગ્ર સ્થિતિ પામી મહુવા ગ્રામ્ય પોલીસ મથકના એક માત્ર હામાભાઈએ સત્વરે નિર્ણય લઈ પોતાની કોઠા સૂઝ અને હિંમતથી ગામના સાતથી આઠ જેટલા તૈરવૈયાઓને બોલાવી રેસ્ક્યુ હાથ ધરી એક પછી એક ફસાયેલાં તમામ લોકોનું રેસ્ક્યુ હાથ ધર્યુ હતું.
સોમવારે સવારથી મેહુલીયો મન મુકીને વરસ્યો હતો. મહુવા તાલુકામાં સવારથી બપોરે ૩ કલાકના સમયમાં જ ૮ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જો કે, માત્ર ૧૦ થી ૧૨માં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો.આથી સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું.
આ વરસાદના કારણે તલગાજરડા ખાતે આવેલ મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓની ૧૦.૩૦ થી ૪.૩૦ની સ્કૂલમાં ૧૧ વાગે પરિસ્થિતિનો તાગ મેળવી રજા આપી દેવાઈ હતી. જેથી ધો.૬ થી ૧૨ના ૩૭ જેટલા રાતોલ ગામના વિદ્યાર્થીઓ ટ્રાન્સપોટેશનની બસમાં ડ્રાઇવર-કંડક્ટર સાથે રવાના થયા હતાં. પરંતુ ગૌશળા નજીક આવેલ કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા બસ ચાલી શકે તેવી સ્થિતિ ન જણાતા ડ્રાઇવર દ્વારા નજીકનું એક મકાન સુરક્ષિત જણાતા તમામ વિદ્યાર્થીઓને ત્યાં ખસેડયા હતા
પરંતુ વરસાદ સતત શરૂ રહેતા અને પાણીનો પ્રવાહ વધતા આ મકાન ફરતે પણ પાણી ફરી વળ્યા હતા અને બાળકોના કેડ સમા પાણી ભરાઈ ગયું હતું. જે ઘટનાની ગંભીરતા સમજી તુર્ત જ પ્રશાસનને જાણ કરાતા શાળા સ્ટાફ તેમજ / ડીઝાસ્ટર મામલતદાર, જિલ્લા શિક્ષણાધિકારી, ડે.કલેક્ટર, ફાયર ટીમ, તરવૈયાની ટીમ સહિતનો કાફલો બચાવ કામગીરીમાં જોડાયો હતો. એક સમયે હેલીકોપ્ટરથી માંડી એનડીઆરએફ, એસડીઆરએફ અને કોસ્ટ ગાર્ડની સેવા લેવાની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. જ્યારે આ વિદ્યાર્થીઓને બચાવવા કલેક્ટરે સંકલન કરી બોટનો ઉપયોગ કરવા નિર્ણય કર્યો હતો.
જે બોટ પહોંચ્યા બાદ પાણીના સામા પ્રવાહને કારણે પાછી આવવી શક્ય નહીં બનતા અંતે દોરડાના તાણીયા મારી આ તમામ બાળકોને સતત ચાર કલાકની જહેમત બાદ મહુવા વહિવટી તંત્ર અને ગામલોકો દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતાં. જો કે, એક સમયે બોટ પરત નહીં ફરતા તમામના જીવ પડીકે બંધાયા હતાં. દરમિયાન વરસાદ ઘટતા અને પાણીનું જોર પણ ઘટ્યું હતું અને તમામ વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરી તલગાજરડાની ક્ધયા શાળામાં સુરક્ષિત લવાયા હતાં. આમ આફત સામે વહિવટી તંત્ર અને લોકોની સતર્કતાથી દુર્ઘટના ટાળી શકાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસીઝફાયર નહિ, કાંઇક મોટું થવાનું છે: ટ્રમ્પના નિવેદને દુનિયાનું ટેન્શન વધાર્યું
June 17, 2025 04:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech