દેવભુમી દ્વારકાની ઇન્કમટેક્ષ કચેરીમાં ગઈકાલે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર સુનિલકુમાર અરવિંદકુમાર મીનાને રૂ. ૩૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે, જેથી ભારે ખળભળાટ મચી ગયો છે.
ફરિયાદીનું પાનકાર્ડ બે વાર બની જવાથી તેણે નવું પાનકાર્ડ રદ કરાવવા માટે ઇન્કમટેક્ષ કચેરીમાં જવું પડ્યું હતું. જ્યાં આરોપી ઇન્સ્પેક્ટરે ફરિયાદીને ધમકાવીને રૂ. ૧૦,૦૦૦ ની પેનલ્ટી ભરવાનું કહ્યું હતું. બાદમાં આ રકમ ઘટાડીને રૂ. ૩૦૦૦ કરી દીધી હતી. ફરિયાદીએ આ બાબતે એસીબીનો સંપર્ક કરતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.અને જામનગર એસીબીએ ફરિયાદના આધારે છટકું ગોઠવી આરોપીને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.
આ ઘટનાએ સરકારી કચેરીઓમાં ચાલતી ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડ્યો છે. આરોપી ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેવી જાહેરાત એસીબી દ્વારા કરવામાં આવી છે. આ ઘટનાએ લોકોમાં રોષની લાગણી ફેલાવી છે અને સરકારને ભ્રષ્ટાચાર રોકવા માટે કડક પગલાં ભરવાની માગ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech