ભારત અને ચીન સૌથી વધુ પ્રભાવિત 2018 માં, ભારત અને ચીન બંનેની વસ્તી લગભગ 1.5 અબજ (150 કરોડ) હતી, પરંતુ તે ઝડપથી બદલાઈ રહી છે. વર્ષ 2100 સુધીમાં ભારતની વસ્તી અંદાજિત 110 કરોડ ઘટી જશે. તે જ સમયે, ચીનની વસ્તી માત્ર 74 કરોડના ભયંકર ઘટાડા સાથે જ રહી જશે. ચીનની વસ્તીમાં આટલા મોટા ઘટાડા માટે વૃદ્ધોની વસ્તીમાં વધારો અને એક સમય હતો કે વિશ્વને વસ્તી વધારાની સમસ્યા સામે લડવું ભારે પડી રહ્યું હતું અને નિયંત્રણ માટે સરકારો આકરા પગલા લઈ રહી હતી. હવે ચિત્ર પલટાયું છે.ટેક અબજોપતિ ઈલોન મસ્કે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વસ્તીમાં ઘટાડો સમગ્ર વિશ્વ માટે એક મોટો ખતરો છે.વસ્તી વધારાને કારણે સંસાધનોની અછત, આર્થિક સમસ્યાઓ, ખોરાક અને પાણીની સમસ્યાઓ વિશે સાંભળીને ઘણી પેઢીઓ મોટી થઈ છે. પરંતુ હવે મામલો ઊંધો પડ્યો છે. હવે વિશ્વના ઘણા દેશો વસ્તીમાં ઘટાડાથી પરેશાન છે અને જન્મ દર વધારવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. આમાં ચીન અને જાપાન મુખ્યત્વે સામેલ છે. તેમને એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા, વૈશ્વિક વસ્તીમાં ઘટાડાને વિશ્વના સૌથી ગંભીર પડકારો પૈકી એક તરીકે વર્ણવ્યું છે. ગ્રાફને ટાંકીને એવું પણ કહેવામાં આવ્યું છે કે વર્ષ 2100 સુધીમાં વસ્તીમાં ભારે ઘટાડો થશે, જે સમગ્ર માનવજાત માટે મોટો ખતરો છે.સાથે તેમને એવો પણ અંદાજ વ્યક્ત કર્યો છે કે આ સદીના અંત સુધીમાં, વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત હશે અને બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ નાઈજીરિયા હશે.
આ સદીના અંત સુધીમાં નાઈજીરિયાની વસ્તી 79 કરોડ થવાનો અંદાજ છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટેસ્લા ઓનર્સ સિલિકોન વેલી એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરાયેલા ગ્રાફને ટેક અબજોપતિએ ફરીથી પોસ્ટ કર્યો અને વસ્તીમાં ઘટાડો વિશ્વ માટે ગંભીર ખતરો ગણાવ્યો. આ આલેખ ભારત, નાઇજીરીયા, યુનાઇટેડ સ્ટેટ્સ, ઇન્ડોનેશિયા અને પાકિસ્તાન સહિતના મોટા દેશો માટે 2018 અને 2100 વચ્ચે અંદાજિત વસ્તીમાં મોટો તફાવત દશર્વિે છે.
વસ્તીમાં ઘટાડો થવા પાછળના કારણો
વિવિધ દેશોમાં વસ્તીમાં ઘટાડો થવા પાછળના કારણોમાં જન્મદરમાં ઘટાડો, વૃદ્ધોની વસ્તીમાં વધારો, સ્થળાંતર વગેરેનો સમાવેશ થાય છે. ઘણા દેશોમાં સ્ત્રી દીઠ બાળકોની સરેરાશ સંખ્યા 2.1 કરતા ઓછી છે અને જે તે દેશોની સ્થિર વસ્તી જાળવવા માટે જરૂરી મયર્દિા હોવી જોઈએ તે જળવાઈ નથી રહી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech