યુએનમાં ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ (ડીપીઆર) એ પાકિસ્તાનને કડક શબ્દોમાં ઠપકો આપ્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન એક 'દુષ્ટ દેશ' છે જે આતંકવાદને આશ્રય આપે છે અને સમગ્ર ક્ષેત્રમાં અશાંતિ ફેલાવે છે. યોજના પટેલે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના તાજેતરના ઇન્ટરવ્યુનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે સ્વીકાર્યું કે, પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. પટેલે કહ્યું કે જ્યારે મંત્રી પોતે આ વાત સ્વીકારી રહ્યા છે તો બીજું કંઈ કહેવાની જરૂર નથી. આ પાકિસ્તાન પોતાને ખુલ્લા પાડી રહ્યું છે.
યુએનની આતંકવાદ વિરોધી બેઠકમાં બોલતા યોજના પટેલે કહ્યું, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સ્વીકાર્યું છે કે, પાકિસ્તાન આતંકવાદીઓને તાલીમ આપે છે અને તેમને પૈસા પણ આપે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, પાકિસ્તાન એક એવો દેશ છે જે વિશ્વમાં આતંકવાદ ફેલાવે છે. હવે દુનિયાએ આ ખતરાથી મોઢું ન ફેરવવું જોઈએ.
યોજના પટેલે 22 એપ્રિલે સંયુક્ત રાષ્ટ્રમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. તેમણે કહ્યું કે, આ હુમલો 2008ના મુંબઈ હુમલા પછી ભારતમાં સૌથી મોટો આતંકવાદી હુમલો છે, જેમાં સૌથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમણે કહ્યું કે, ભારત લાંબા સમયથી સરહદ પારના આતંકવાદનો ભોગ બની રહ્યું છે અને પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને પોતે સ્વીકાર્યું છે કે આતંકવાદીઓને તેમના દેશમાં તાલીમ આપવામાં આવે છે, આ કંઈ નવું નથી, પાકિસ્તાન પહેલા પણ આવું કરતું આવ્યું છે અને આજે પણ કરી રહ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં, પાકિસ્તાનનું નામ લીધા વિના, યોજના પટેલે કહ્યું કે એક દેશના પ્રતિનિધિઓએ આ પ્લેટફોર્મનો દુરુપયોગ કર્યો અને ભારત પર ખોટા આરોપો લગાવ્યા. પહેલગામ હુમલા બાદ ભારતને ટેકો આપવા બદલ યોજના પટેલે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય દેશોનો આભાર માન્યો. તેમણે કહ્યું કે ભારત આતંકવાદના પીડિતોને ક્યારેય ભૂલશે નહીં અને તેમને ન્યાય અપાવવા માટે તમામ પ્રયાસો કરશે.
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે પાકિસ્તાનનો આતંકવાદને ટેકો આપવા અને આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડવાનો લાંબો ઇતિહાસ છે. વાતચીત દરમિયાન તેમણે કહ્યું, અમે છેલ્લા 30 વર્ષથી અમેરિકા માટે આ ગંદુ કામ કરી રહ્યા છીએ. ભારત સામે યુદ્ધની વાત કરનારા ખ્વાજા આસિફે એમ પણ કહ્યું હતું કે લશ્કર-એ-તૈયબા હવે પાકિસ્તાનમાં ખતમ થઈ ગયું છે. તેમણે સ્વીકાર્યું કે પહેલા આ આતંકવાદી સંગઠનના પાકિસ્તાન સાથે કેટલાક સંબંધો હતા, પરંતુ હવે તે સંગઠન અસ્તિત્વમાં નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech