પોરબંદરમાં ભારતીય કોસ્ટગાર્ડના જવાનોએ સહપરિવાર યોગ કરીને તન-મનની સ્વસ્થતા મેળવી હતી. કોસ્ટગાર્ડ સ્ટેશન અને ઇન્ડિયન કોસ્ટગાર્ડની જેટી ખાતે વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી અનુસંધાને જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.
વિશ્ર્વભરમાં યોગને તંદુરસ્ત જીવનશૈલી અને આંતરિક શાંતિ માટેના સશક્ત સાધન તરીકે ઉજવાતા ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સંદર્ભે પોરબંદરમાં યોગ જાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની પ્રેરણા અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સંયુક્ત ઉપક્રમે તથા શિશુપાલજીના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન કોસ્ટગાર્ડ જેટી પોરબંદર ખાતે યોજાયો હતો. તેમાં જહાજ અંકિતના જવાનો તેમજ ધરમપુર સ્થિત કોસ્ટ ગાર્ડ ફેમિલીના સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા.
આજે સમગ્ર વિશ્ર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પુષાર્થથી યોગને સમગ્ર વિશ્વ ફલક પર સન્માનનીય સ્થાન પ્રાપ્ત થઈ રહ્યું છે.ત્યારે યોગના પ્રચાર પ્રસાર માટે ગુજરાતમાં યોગબોર્ડના ચેરમેન પ્રચંડ પુષાર્થથી યોગસેવક શિશપાલજીના નેતૃત્વમાં સક્રિયતાથી કાર્યરત છે ત્યારે પોરબંદરમાં પણ દરિયાઈસીમાના રક્ષક એવા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જહાજોના જવાનો તથા તેમના ફેમિલી માટે યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન થયેલ હતુ. આ ઉદ્દેશપૂર્વક યોજાયેલ કાર્યક્રમ જહાજ અંકિત અને કોસ્ટ ગાર્ડ વાઇફ વેલ્ફેર એસોસિએશન દ્વારા આયોજિત હતો. યોગના મહત્વ અને ઉપયોગીતા અંગે માર્ગદર્શન આપવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પોરબંદર કોર્ડિનેટર, એક્સ્ટ્રીમ ફિટનેસ કેર તથા પોરબંદર સ્પોર્ટ્સ યોગા એસોસિએશનના યોગ નિષ્ણાતોએ યોગાસન, પ્રાણાયામ, ધ્યાન અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાના ઉપાયો રજૂ કર્યા હતા.
વન હેલ્થ, વન વર્લ્ડ થીમ અંતર્ગત આ કાર્યક્રમમાં મેદસ્વિતા, લોહી દબાણ, નિદ્રાની ઉણપ, માનસિક તણાવ અને દૈનિક જીવનમાં થતી તકલીફો માટે યોગ કેવી રીતે અસરકારક બને તે બાબત પર તબીબી દૃષ્ટિકોણથી સમજૂતી આપવામાં આવી.
કાર્યક્રમ દરમિયાન બાળકો, મહિલાઓ અને જવાનો દ્વારા વિવિધ યોગાસનોના પ્રદર્શન સાથે યોગના લાભો વિશે અનુભવ શેર કરવામાં આવ્યો. ઉપસ્થિત અધિકારીઓએ યોગને જીવનશૈલીના અભિન્ન અંગ તરીકે અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.યોગ માત્ર કસરત નહિ, પણ એક સંપૂર્ણ જીવન પદ્ધતિ છે તે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક આરોગ્ય માટે અત્યંત જરી બની ચુક્યો છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત યોગ બોર્ડ પોરબંદરના કોર્ડિનેટર કેતન કોટિયા, યોગ ટ્રેનર અંજલિ ગાંધ્રોકિયા, મહેશ મોતીવરસ, સૂરજ મસાણી, નિશા કોટિયા, યશ ડોડીયા, ક્રિષ્ના મહેતા, મોહિત મઢવી, કાર્તિક માલમ, જીવન ગોહેલ તથા સુનિલ ડાકી સહિતની ટીમનું વિશેષ યોગદાન રહ્યું.
આભારપ્રદર્શન સ્વપે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ જહાજ અંકિતના સી.ઈ.આ.ે તથા કોસ્ટ ગાર્ડ વાઇફ વેલ્ફેર એસોસિએશનના પ્રમુખે તમામ સહયોગી અને યોગપ્રેમીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech