યુનિવર્સિટી રોડ પર નંદભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા આનંદભાઈ કણસાગરા (ઉ.વ 39) નામના વેપારીનું અપહરણ કરી રૂખડિયાર વિસ્તારમાં લઈ જઈ તેમને ઢોર મારવામાં આવ્યો હતો. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં એવી હકિકત સામે આવી હતી કે, જાહીર સંધવાણીએ વેપારીના પૂર્વ ભાગીદારને ૧૫ લાખ વ્યાજે આપ્યા હતાં.જેની ઉઘરાણી કરતા આ બંને પૂર્વ ભાગીદારોએ વ્યાજના પૈસા ચૂકવવા માટે ભાગીદારનું અપહરણ કરવા હવાલો આપ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ નંદભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા આનંદભાઈ ઓરિસ્સામાં બંધ કરેલી ફેક્ટરીના કારણે તેમને તેના બે પૂર્વ ભાગીદારો સાથે લાખોની લેતીદેતી બાબતે વિવાદ ચાલતો હતો. દરમિયાન પૂર્વ ભાગીદારોએ રૂખડિયાપરાની ગેંગને હવાલો આપ્યો હતો જે ગેંગે આનંદભાઈનું અપહરણ કરી રૂખડીયાપરામાં લઈ જઈ તેમને ઢોર મારમાર્યો હતો અને બાદમાં તેમને જવા દેવાયા હતા જે અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
બનાવના પગલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એન.પટેલની રાહબરી હેઠળ પીએસઆઇ વી.જી. ડોડીયા તથા ટીમે તપાસ હાથ ધરી પ્રથમ પૂર્વ ભાગીદાર અમિત કાચાની ધરપકડ કરી હતી બાદમાં આ મામલે પોલીસે હવાલો લેનાર જાહીર મહંમદ રફીક સંધવાણી, સમીર ઉર્ફે ધમો બસીરભાઈ શેખ, નિઝામ ઉર્ફે મામો રહીમભાઈ સંધવાણી અને હિરેન ગોવર્ધનભાઈ ઠુંમરને ઝડપી લીધા હતાં. આરોપી હિરેન મવડીના ઓમનગરમાં વૈદહી એપાર્ટમેન્ટમાં રહે છે જ્યારે બાકીના આરોપીઓ રૂખડિયાપરા વિસ્તારમાં રહે છે.
પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ, આરોપી જાહીર સંધવાણી અમિત અને હિરેનને રૂ. 15 લાખ વ્યાજે આપ્યા હોય જેની ઉઘરાણી કરતા આ બંને ભાગીદારોએ જાહીરને કહ્યું હતું કે, તેમના પૈસા પૂર્વ ભાગીદાર આનંદ કણસાગરા પાસે ફસાયા છે જેથી આ પૈસા કઢાવી આપ્યેથી વ્યાજની રકમ અને હવાલા માટેની અલગથી રકમ ચૂકવવાનું બંને ભાગીદારોએ જાહીરને કહ્યું હતું જેથી જાહીર તેના સાગરીતો સાથે મળી વેપારીનું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech