કબૂતરને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ જ્યારે આ પક્ષીઓ ઘરની બાલકની અથવા બારીની ચોખટ પર કાયમી રહેઠાણ બનાવી લે છે, ત્યારે મોટી મુશ્કેલી ઊભી થાય છે. તેમના દ્વારા ફેલાતી ગંદકી, અસહ્ય દુર્ગંધ, જીવાતો અને સતત થતો અવાજ ઘરના વાતાવરણને બગાડી નાખે છે અને બીમારીઓનું જોખમ વધારે છે.યુકે (UK), અમેરિકા (US) અને યુરોપ જેવા દેશોમાં લોકો આ સમસ્યાથી બચવા માટે ખાસ પ્રકારના સ્માર્ટ આઈડિયાઝનો ઉપયોગ કરે છે. આ ઉપાયોની ખાસિયત એ છે કે તેનાથી કબૂતરોને કોઈ શારીરિક ઈજા કે નુકસાન પહોંચતું નથી, પરંતુ તેઓ આપોઆપ બાલકનીથી દૂર રહે છે.આવો જાણીએ વિદેશમાં વપરાતી એ ૫ અસરકારક યુક્તિઓ
૧. બર્ડ સ્પાઇક્સ (નુકીલી પટ્ટીઓ) નો ઉપયોગઅમેરિકાના પેસ્ટ મેનેજમેન્ટ નિષ્ણાતોના મતે, બાલકનીની રેલિંગ, છતની મુંડેર અથવા બારીના કિનારે 'બર્ડ સ્પાઇક્સ' લગાવવા એ સૌથી લોકપ્રિય અને સરળ રીત છે. આ પ્લાસ્ટિક અથવા ધાતુની બનેલી સોય જેવી દેખાતી પટ્ટીઓ હોય છે. તે દેખાવમાં અણીદાર લાગે છે પરંતુ વાસ્તવમાં લવચીક (ફ્લેક્સિબલ) હોય છે. તેના કારણે કબૂતર તે જગ્યા પર પગ મૂકીને બેસી શકતા નથી. તે ઓનલાઇન કે હાર્ડવેરની દુકાનેથી સરળતાથી મળી રહે છે.
૨. નાયલોનની પ્રોટેક્શન જાલીયુકે અને ઓસ્ટ્રેલિયામાં મોટી બાલકની ધરાવતા ઘરોમાં નાયલોનની મજબૂત જાળી ફિટ કરવામાં આવે છે. આ જાળી આખા ખુલ્લા હિસ્સાને કવર કરી લે છે, જેથી એક પણ પક્ષી અંદર પ્રવેશી શકતું નથી. તે ટ્રાન્સપરન્ટ જેવી હોવાથી બહારનો નજારો પણ બગડતો નથી અને વર્ષો સુધી ચાલે છે.
૩. ટ્રાન્સપરન્ટ સ્ટીકી જેલ (ચિપચિપો પદાર્થ)કેટલાક લોકો બારીના છજ્જા પર એક ખાસ પ્રકારનું પારદર્શક અને બિન-ઝેરી જેલ લગાવે છે. આ જેલના કારણે તે સપાટી ચીકણી બની જાય છે. જ્યારે કોઈ પક્ષી ત્યાં બેસે છે, ત્યારે તેના પંજા ચોંટે છે, જેથી અકળાઈને તે ત્યાંથી ઉડી જાય છે અને ફરી ક્યારેય તે જગ્યા પર પાછું આવતું નથી.
૪. નકલી શિકારી પક્ષીઓ ,કબૂતરો કુદરતી રીતે જ ઘુવડ, બાજ કે સમડી જેવા શિકારી પક્ષીઓથી ખૂબ ડરે છે. વિદેશમાં લોકો પ્લાસ્ટિકના બનેલા નકલી ઘુવડ કે બાજના રમકડાં બાલકનીમાં લટકાવી રાખે છે. કબૂતરો તેમને અસલી સમજીને ત્યાં આવવાની હિંમત કરતા નથી. જો કે, થોડા દિવસે તેનું સ્થાન બદલતા રહેવું પડે છે, નહિતર કબૂતરો સમજી જાય છે કે આ નકલી છે.
૫. અલ્ટ્રાસોનિક સાઉન્ડ મશીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદેશમાં ખાસ 'અલ્ટ્રાસોનિક સાઉન્ડ મશીન' લગાવવામાં આવે છે. આ મશીનમાંથી શિકારી પક્ષીઓના અવાજો નીકળે છે જે મનુષ્યોના કાનને સંભળાતા નથી, પરંતુ પક્ષીઓને ખૂબ તીવ્રતાથી સંભળાય છે અને તેઓ ડરીને ભાગી જાય છે.
સૌથી પહેલું અને મહત્વનું કામ:-આ બધી યુક્તિઓ અજમાવતા પહેલાં, તમારી બાલકનીમાં જો કોઈ પણ પ્રકારનું ખુલ્લું અનાજ, ચણ કે ખાવાની વસ્તુઓ પડી હોય તો તેને તરત જ હટાવી લો, કારણ કે તે જ કબૂતરોને આમંત્રણ આપે છે. સાથે જ જો બાલકનીમાં ક્યાંય માળો (ઘોંસલો) બનવાની શરૂઆત થઈ હોય, તો તેને શરૂઆતમાં જ સાફ કરી નાખો.