ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં અગાઉ હિન્દુઓને નિશાન બનાવવામાં આવતા હતા, ત્યારે હવે ત્યાં રહેતા અન્ય લઘુમતી જૂથો સામે પણ હિંસા શરૂ થઈ છે. આ વખતે ઈસ્લામિક કટ્ટરપંથીઓએ ક્રિસમસના દિવસે ખ્રિસ્તીઓના લગભગ 17 ઘરોને આગ ચાંપી દીધી હતી. આ ઘટના બંદરબન જિલ્લાના લામા વિસ્તારમાં બની હતી. આ હુમલો ગઈકાલે સવારે થયો હતો, જ્યારે ગામલોકો નાતાલની ઉજવણી કરવા માટે પડોશી ગામમાં પ્રાર્થના કરવા ગયા હતા. આ હુમલાને ખ્રિસ્તી સમુદાય પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ તોંગજીરી વિસ્તારના ન્યૂ બેટાચારા પારા ગામના લોકો ચર્ચ ન હોવાના કારણે અન્ય જગ્યાએ તહેવાર મનાવવા ગયા હતા. ત્યારબાદ તેની પીઠ પાછળ બદમાશોએ ગામમાં હુમલો કર્યો અને 17 ઘરોને સંપૂર્ણપણે બાળી નાખ્યા. આ હુમલામાં અંદાજે 15 લાખથી વધુનું નુકસાન થયું છે.
ન્યૂ બેટાચારા પારા ગામના લોકોએ જણાવ્યું કે ગયા મહિને 17 નવેમ્બરે બદમાશોએ તેમને ગામ ખાલી કરવાની ધમકી આપી હતી. આના પર ગંગા મણિ ત્રિપુરા નામના વ્યક્તિએ લામા પોલીસ સ્ટેશનમાં 15 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હવે ઘર બળી ગયા બાદ પીડિતાનો પરિવાર ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે. ગંગા મણિ ત્રિપુરાએ કહ્યું, અમારા ઘરો સંપૂર્ણપણે બળી ગયા છે. હવે અમારી પાસે કંઈ બચ્યું નથી.
ત્રિપુરા સમુદાયના લોકોનો દાવો છે કે તેઓ ઘણી પેઢીઓથી આ સ્થાન પર રહે છે. પરંતુ તાજેતરના વર્ષોમાં તેમને ત્યાંથી હટાવવાના પ્રયાસો વધી ગયા છે. કેટલાક સ્થાનિક લોકોનો આરોપ છે કે સરકારે આ જમીન પોલીસ અધિકારી અને પૂર્વ આઈજીપી બેનઝીર અહેમદને લીઝ પર આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech