માળનાથ ગ્રુપ ભાવનગર છેલ્લા ઘણા વર્ષોથી પક્ષી બચાવો અભિયાન ચલાવે છે. જેમાં ઘાયલ પક્ષીની સારવાર માટે રાજુભાઈ ચૌહાણ (ઈલેકટ્રીકવાળા) તેમજ ઉતરાયણ દિવસથી જયાં ત્યાં લટકતા પતંગના દોરા એકઠા કરી તેનો નાશ કરે છે ગયા વર્ષે ૨૧ કિલો દોરાઓ ગ્રુપ દવારા એકઠા કરી તેનો નાશ કરવામાં આવેલ હતો. આપ સર્વે પણ આ લટકતા દોરાઓને દુર કરી તેનો નાશ કરવા વિનંતી. પક્ષીઓ ઉપરાંત માનવના પણ ગળા કપાઈને મૃત્યુ થતા સમાચાર તમને મળતા હશે. ચાઈના ગબારાઓ પણ બંધ કરવા ગ્રુપ દવારા અપીલ કરવામાં આવે છે કારણકે, લોકોની ઘરવખરી, કડબ, પક્ષીઓના માળા, અને ઢોરઢાંખરને સળગતા ગુબારા હેઠા પડી આગ લાગતી હોય છે. અને પારાવાર નુકશાન થતુ હોય છે. બાળકો અગાશી ઉ૫૨થી લોખંડના સળીયા કાઢી પતંગ પકડવા પ્રયત્ન કરે ત્યારે જી.ઈ.બી.ના તારમાં પતંગ ભરાયેલ હોય તે લેવા જતા સોકસર્કિટના ઘણા કિસ્સા બન્યા છે. એટલે આવી ચીજવસ્તુઓ અગાશીમાં રાખવી નહીં આ બાબતે માતા–પિતાએ બાળકોનું ખાસ ધ્યાન રાખવું.પક્ષીને બચાવવા એ આપણો માનવ ધર્મ છે જો તમોને ઘાયલ પક્ષીની જાણ થાય તો રાજુભાઈ ચૌહાણ ઈલેકટ્રીકવાળા ૯૯૭૪૧૪૬૧૫૦, હરિભાઈ શાહ "પક્ષી પ્રેમી"૯૮૭૯૦૯૨૫૬૬,કાનાભાઈ ત્રિવેદી ૯૮૨૫૧૧૯૭૯૭ અને સુરેશભાઇ બેરાણી ૭૩૮૩૭૪૫૮૯૪ ને ફોન કરી પક્ષીની જિંદગી બચાવવા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલંડનની યુનિ.માં અડધી ફીમાં પ્રવેશની લાલચમાં યુવાને ૪.૮૦ લાખ ગુમાવ્યા
May 02, 2025 02:34 PMબિલ્ડરના સગીર પુત્રને બંધક બનાવીને લુંટ ચલાવનાર ઘરઘાટી દંપતીને ૭-૭ વર્ષની સજા
May 02, 2025 02:31 PMહિરલબા જાડેજા સ્વસ્થ થતા પોલીસે ફરી હાથ ધરી પૂછપરછ
May 02, 2025 02:24 PM‘સાહેબ , અમે ઢેલનો મૃતદેહ શાક કરવા માટે લઈ જતા હતા!’
May 02, 2025 02:24 PMમજીવાણાનો યુવાન રાષ્ટ્રીયકક્ષાની બેડમીન્ટન સ્પર્ધામાં દાખવશે કૌવત
May 02, 2025 02:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech