શિવરાત્રિએ જામનગરના સાંસદે કર્યું ભવનાથ ભ્રમણ: સંતોના મેળવ્યા આશીર્વાદ
શિવરાત્રિએ જામનગરના સાંસદે કર્યું ભવનાથ ભ્રમણ: સંતોના મેળવ્યા આશીર્વાદ
February 17, 2026 12:37 PM
મહાશિવરાત્રિ નિમિતે જામનગરના સાંસદ પૂનમબેન માડમે જુનાગઢના મીની કુંભ સમાન મહાશિવરાત્રિના મેળામાં હાજરી આપી અને ભવનાથ ભ્રમણ કર્યું હતું.
આ ઉપરાંત ઇન્દ્રભારથી બાપુ, ત્રિકમદાસ બાપુ, મહામંડલેશ્ર્વર ૧૦૦૮ જગજીવનદાસ બાપુ, અગ્નિઅખાડાના અઘ્યક્ષ પૂ. મુકતાનંદજી બાપુ, પૂ. મહાદેવગીરી બાપુ, મહંત હરિભગત રામભગતજી સહિતના સંતોના આશીર્વાદ મેળવ્યા હતા, દર્શન કર્યા હતા અને જુદા જુદા સ્થળોએ, મંદિરોમાં પૂજા-અર્ચના કરી હતી.
આઉપરાંત લોકગાયક કીર્તીદાન ગઢવી સહિતના મહાનુભાવો સાથે પણ એમને મુલાકાત થઇ હતી.