જુન માસને મેલેરિયા વિરોધી જાહેર કરી આરોગ્ય વિષયક કામગીરી હાથ ધરાઈ

  • June 18, 2025 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેરમાં વરસાદનું આગમન થઇ ચુક્યું છે. આપણે શહેરને મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યું, ચિકુનગુનિયા, વગેરેથી બચાવવાના છે. આ કાર્ય શહેરીજનોના સહકાર વિના શક્ય નથી.


શું તમે તમારા ધાબા પરનો કાટમાળ દુર કર્યો?, છત પરના વરસાદી પાણીના નિકાલ માટેના આઉટલેટ ચેક કર્યા? ઘરમાં છત પર ,આજુ-બાજુમાં, આગળ-પાછળના ફળીયામાનો ભંગાર દુર કર્યો? શું તમારા ઘરની આસપાસ પાણી ભરાય રહે તેવા ખાડા-ખાબોચિયા છે? પાણીના ટાંકા-ટાંકી મચ્છર ન પ્રવેશે તે રીતે ઢાંકેલા છે? ઘરની આસપાસ ગાયની કુંડી, પક્ષીકુંજ, ફીઝ પાછળની ટ્રે વગેરેની નિયમિત સફાય થાય છે?


ઉપરોક્ત જણાવેલ બાબતો પ્રત્યે સભાનતા દર્શાવી છત પર, અગાશીમાંથી કાટમાળ-ભંગાર દુર કરો. છત પર વરસાદી પાણીના નિકાલ માટેની પાઈપ લાઈનની સફાઈ કરો. ગાયની કુંડીની અઠવાડિયામાં એકવાર સફાઈ થાય તેનું ધ્યાન રાખો. પક્ષીકુંજનું પાણી દરરોજ બદલી નાંખો, તથા તેની સફાઈ કરી ફરીથી ઉપયોગ કરો. ફ્રીઝ પાછળની ટ્રે અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વાર સાફ કરીને ફરીથી ઉપયોગ કરો. પાણી ભરેલાં ટાંકા-ટાંકી તથા અન્ય પાત્રોમાં મચ્છર પ્રવેશી ન શકે તે રીતે ઢાંકીને રાખો.
​​​​​​​

આમ કરવાથી આપણે મચ્છરની ઉત્પત્તિને અટકાવી શકીશું તથા મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યું, ચિકુનગુનિયાથી બચી શકીશું. આ માટે શહેરના તમામ નાગરિકોએ ઉપર દર્શાવ્યા પ્રમાણેના પગલાં લઇ, શહેરને મચ્છરજન્ય રોગચાળાથી મુક્ત કરીએ. દર રવિવારે ૧૦ મીનીટનો સમય કાઢી. તમામ પાણી ભરાયેલાં પાત્રોની ચકાસણી કરો. મચ્છરની ઉત્પતિ જણાય તો તેને દુર કરો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News