BREAKING NEWS

આજે કાર્તીકી પુર્ણીમા: જગતમંદિરે કાળીયા ઠાકોરને વિશેષ શૃંગાર

  • November 05, 2025 12:39 PM 

આજે કાર્તીકી પૂર્ણીમા હોય દ્વારકાના જગતમંદિરે કાળીયા ઠાકોરને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો, આજે દેવદિવાળીના પાવન અવસરે શ્રીજીને મઘ્યાહને રાજભોગનો વિશેષ ભોગ ધરવામાં આવ્યો હતો.

આજે વ્હેલી સવારથી જ ભકતજનોની કાળીયા ઠાકોરના દર્શન કરવા ભીડ ઉમટી હતી, સાંજના સમયે નીજ મંદિર તથા નીજ સભા ગૃહમાં રંગોળી તથા દિપમાલા સુશોભન કરવામાં આવનાર છે.

દેવદિવાળીની પૌરાણીક કથા મુજબ આજના દિવસે ભગવાન શીવજીએ દેવતાઓના સામ્રાજયને બચાવવા ત્રિપુરાસુરનો વધ કર્યો હતો અને ભગવાન શીવજીએ દેવોને ત્રિપુરાસુરના ત્રાસમાંથી ઉગાર્યા હતાં ત્યારે સદાશિવને પ્રસન્ન કરવા દેવદીવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે તેવી માન્યતા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application