સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આજે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત તા.૩૧-૦૮-૨૦૨૪ ને શનિવારના રોજ કષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી ફુલોનો શણગાર કરી સવારે ૦૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી- અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી. આજે દાદાને કરાયેલાશણગાર વિશે કોઠારી વિવેકસાગરસ્વામીએ જણાવ્યું હતું કે, આજે દાદાને શ્રાવણ મહિનાના પવિત્ર શનિવાર નિમિત્તે વિશેષ વાઘા અને સિંહાસને ૨૦૦ કિલો ફુલનો શણગાર કરાયો છે. આ તમામ ફુલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. જેમાં ઓર્કિડ અને ગુલાબના ફુલ છે. તો આજે દાદાને ૩૦૮ કિલો છપ્પન ભોગ મિઠાઈનો અન્નકૂટ પણ ધરાવામાં આવી રહ્યો છે. જેમાં કાજુ અને ડ્રાયફ્રુટની મીઠાઈ છે.
કષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી ફુલનો શણગાર ધરાવવામા આવ્યો હતો. બપોરે ૧૧ કલાકે ગુલાબજાંબુ,કાજુકતરી,બરફી વગેરે અનેક મીઠાઈ ધરાવી અન્નકૂટ આરતી કોઠારી વિવેકસાગર સ્વામી- અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech