દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર હુમલાની આશંકા સાથે ગુપ્તચર એજન્સીઓએ એક મોટું એલર્ટ જારી કર્યું છે. એજન્સીઓનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પર હુમલો થઈ શકે છે. એજન્સીઓએ દાવો કર્યો હતો કે, પંજાબના ખાલિસ્તાની સમર્થકો કેજરીવાલ પર હુમલો કરી શકે છે. એજન્સીઓએ કેજરીવાલની સુરક્ષાની સમીક્ષા કરી છે.
હાલમાં, ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસને જાણ કરી છે. આ પછી પોલીસ એલર્ટ મોડ પર છે. અરવિંદ કેજરીવાલને હાલમાં ઝેડ પ્લસ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. આ ચેતવણી પછી, તેમની સુરક્ષામાં વધુ વધારો થઈ શકે છે. પોલીસ આ મામલે માહિતી એકઠી કરવામાં વ્યસ્ત છે.
અહેવાલો અનુસાર, પંજાબમાં બે-ત્રણ લોકોને કેજરીવાલ પર હુમલો કરવાની યોજના બનાવતા જોવા મળ્યા છે. એજન્સીઓને ડર છે કે, આ લોકો દિલ્હી તરફ આગળ વધી શકે છે અથવા પહેલાથી જ આગળ વધી ચૂક્યા છે અને કેજરીવાલને નિશાન બનાવી શકે છે.
એજન્સીઓને શંકા છે કે, આ પાછળ પાકિસ્તાનની આઇએસઆઇનો હાથ હોય શકે છે, જે દિલ્હીની સાથે પંજાબમાં કાયદો અને વ્યવસ્થાને પડકારવા માંગે છે. હાલમાં એજન્સીઓ આ સંદર્ભમાં વધુ માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જારી કર્યું હોવા છતાં, કેન્દ્ર સરકાર કે આમ આદમી પાર્ટી દ્વારા આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ એજન્સીઓએ કેજરીવાલને ઇન્ડિયન મુજાહિદ્દીનના ખતરા અંગે ચેતવણી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech