પહેલી જૂનથી સાગર પુત્રોના વેકેશનનો પ્રારંભ થયો છે અને આ વખતે પહેલી જૂનથી ૧૫ ઓગસ્ટ સુધી અરબી સમુદ્રમાં માછીમારી ઉપર પ્રતિબંધ હોવાથી અઢી મહિનાના આ વેકેશન દરમિયાન ખમીરંતા સાગર પુત્રો લગ્ન સહિતના સામાજિક પ્રસંગો ઉજવશે.
પોતાના જીવના જોખમે અને ઘરબારની પરવા કર્યા વિના પરિવારજનોનું પેટીયુ રળવા માટે દરિયો ખુંદતા સાગર ખેડુ ખારવા સમાજ સહિતના માછીમારોનું વેકેશન શરૂ થઈ ચૂક્યું છે. આ વર્ષે પહેલી જૂનથી ૩૧ જુલાઈને બદલે માછીમારોની માગણી અનુસંધાને ૧૫ ઓગસ્ટ સુધીનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને ત્યાં સુધી વાંચી મારી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે આ દિવસો દરમિયાન ખમીરવંતા ખારવા સમાજ દ્વારા જુદા જુદા સામાજિક પ્રસંગો અને લગ્ન ઉત્સવ સહિત ઉજવણી કરવામાં આવતી હોય છે. આ અઢી મહિના દરમિયાન અનેક ખારવા યુવક યુવતીઓના લગ્નના પ્રસંગો રંગેચંગે ઉજવાશે. એટલું જ નહીં પરંતુ ખારવા સમાજનો સૌથી મોટો તહેવાર અષાઢી બીજની ઉજવણી પણ કરવામાં આવશે જેમાં ભવ્યાતિભવ્ય રથયાત્રા(રામદેવજી મહાપ્રભુના વરઘોડા)નું આયોજન પણ કરવામાં આવશે.
તે ઉપરાંત કાંઠે બાંધવામાં આવેલી બોટોના સમારકામ સહિત ઓઝા (માછીમારી જાળ) ના સમારકામની કામગીરી પણ કરવામાં આવતી હોય છે તે ઉપરાંત ફિશિંગ બોટમાં નાના-મોટા સમારકામ અને એન્જિનમાં ઓઇલિંગ સહિત છૂટક કામ કરાવવામાં આવતું હોય છે. તો બોટમાં મિસ્ત્રી કામની કાર્યવાહી પણ હાલમાં વેકેશન દરમિયાન થતી હોય છે. એકંદરે પૂર્ણ થયેલી માછીમારીની સિઝન આ વખતે સારી ગઈ છે. ખાસ કરીને પાકિસ્તાની મરીન સિક્યુરિટી ના આતંક ની પરિસ્થિતિ જોવા મળી નથી તેથી માછીમારોના અને ફિશિંગ બોટના અપહરણનો સિલસિલો અટક્યો છે. પરંતુ દરિયામાં વધતા જતા પ્રદૂષણને લીધે માછીમારી ટ્રીપ લંબાઇ ગઈ છે અને પૂરતા પ્રમાણમાં માછલા મળ્યા નથી તે પણ હકીકત છે.
આ માછીમારોને વર્ષ કહીં ખુશી કહીં ગમની જેમ થોડું સાં અને થોડું ખરાબ નીવડ્યું છે, ત્યારે વેકેશન દરમિયાન માછીમારો તેમના પરિવારજનો સાથે રહીને સામાજિક કાર્યો અને ધાર્મિક કાર્યો પૂર્ણ કરશે અને પરિવારજનોને પણ તેમના સ્વજનો ઘરે રહેતા હોવાથી ખુશી જોવા મળશે તેમ જણાઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech