તળાજા તાલુકાના સોસીયા ગામમાં મૃત ખેડૂતોને જીવિત બતાવી જમીનનો દસ્તાવેજ બનાવી લેવામાં આવ્યો છે.સોસીયા ખાતે ૯૩/૧જમીનના દસ્તાવેજમાં મોટું કૌભાંડ ડે. કલેકટર તળાજા સહિતનાઓને રજૂઆત કરાઇ છે.
તળાજા તાલુકાના સોસીયા ખાતે આવેલી ૯૩ પૈકી ૧ માં વર્ષ ૨૦૧૧માં કુલ ૮ ખેડુત માલિક હતા. જેમાંથી ૬ ખેડૂત અંદાજિત ૧૦ થી ૨૦ વર્ષ પહેલા ગુજરી ગયા હતા. તમામ ખેડૂતોની વારસાઈ એન્ટ્રી કરવી પડે પરંતુ વારસાઈ એન્ટ્રી કરવામાં આવેલ નથી. તમામ ખેડૂતોને જીવિત બતાવીને ખોટા સોગંદનામાં કરીને હક જતો કરીને રાજકીય અને પૈસાના જોરે દસ્તાવેજ કરેલ છે. જમીનની બાજુમાં સરકારી પડતર હોવા છતાં બિનખેતી વખતે કોઈ સરકારી પડતર નથી તેવું બતાવીને બિનખેતીનો હુકમ લેવામાં આવેલ છે. નિયમ કરતા મોટા પાયે બાંધકામ કરેલ છે અને સરકારી જમીનમાં દબાણ કરેલ છે. આ અંગે અમે લેન્ડ ગેબીંગ કેસ પણ દાખલ કરેલ છે. જે ખેડૂતને બેંકમાં ચેક થી નાણા જમા કરવામાં આવેલ છે તે ખેડૂતનું બેંકમાં બોગસ ખાતું ખોલવામાં આવેલ છે અને ખેડૂત અંગુઠા મારતો હોવા છતાં તે બેંકમાંથી સહી કરીને પૈસા ઉપાડ્યા છે એ પણ એક મોટું કૌભાંડ છે તેમ સોસીયાના સુખદેવસિંહ ગોહિલે જણાવ્યું હતુ.
ગોહિલે વધુમાં જણાવ્યું હતુ કે ઉપરોક્ત તમામની વિગતો સાથે ડેપ્યુટી કલેક્ટર તળાજા, કલેક્ટર ભાવનગર, મામલતદાર તળાજા વગેરેને અગાઉ રજૂઆત છે. મુખ્ય મુદ્દો ભુલવાડી લોકોને અન્ય મુદ્દો સમજાવવા માટેનો આ બધો પ્રયત્ન છે. હાલમાં આ બધું રાજકીય અને બદલાની ભાવનાથી થઈ રહ્યું છે.પરંતુ યોગ્ય સમયે તમામ પુરાવાઓ સાથે હું લોકોની વચ્ચે તમામ વસ્તુઓ મૂકવાનો છું. સત્ય પરેશાન થાય છે પણ પરાજિત નહીં. તેમજ અમારી કાનૂની લડાઇ ચાલુ છે. સમય આવે ભાવનગરની જનતાને તમામ પુરાવા સાથે સત્ય હકીકત શું છે જણાવવામાં આવશે તેમ સુખદેવસિંહ ગોહિલ સોસીયાએ જણાવ્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech